Shocking: 18 હોસ્પિટલોએ એડમિટ કરવાનો કર્યો ઈનકાર, વૃદ્ધનું ગેટ પર જ થયું મોત

બેંગલુરુઃ ‘હું આ રીતે નહીં રહી શકું… પ્લીઝ મને ઘરે લઈ જાઓ કે પછી હોસ્પિટલમાં ભરતી કરાવો… હું શ્વાસ નથી લઈ શકતો…’ આ શબ્દો 52 વર્ષના શખસે હોસ્પિટલના ગેટ પર પોતાના ભત્રીજાને કહ્યા અને થોડી સેકન્ડમાં જ તેમનું મોત થઈ ગયું. 36 કલાકમાં 18 હોસ્પિટલોના ચક્કર કાપ્યા, 32 હોસ્પિટલોમાં કોલ કરી તપાસ કરી, પરંતુ બધે ‘ના’ સાંભળવા મળી. કોરોના સામે ઝઝૂમી રહેલા દેશમાં હોસ્પિટલોની આ બેદરકારી ચોંકાવનારી અને આઘાતજનક છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


બેંગલુરુના એસપી રોડ પાસે નાગરથપેટમાં રહેતા કપડાના વેપારી બીમાર હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમણે પોતાના ભત્રીજાની સાથે શનિવારે અને રવિવારે 18 હોસ્પિટલોમાં એમ્બુલન્સથી ચક્કર કાપ્યા. ભત્રીજાએ જણાવ્યું કે, બધી જગ્યાએ ના પાડી દેવામાં આવી. તેમણે હોસ્પિટલોની યાદી પણ બતાવી. એ દરમિયાન 30થી 32 હોસ્પિટલોમાં કોલ પણ કર્યા, પરંતુ બધાએ બેડ ન હોવાનું જણાવ્યું. કપડાના વેપારીને સખત તાવ આવતો હતો અને શનિવારે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી.


‘સ્ટાફના પગમાં પડીને વિનંતી કરી’
મૃતકના ભત્રીજાના કહેવા મુજબ, વે કનિંગમ રોડ સ્થિત એક જાણીતી હોસ્પિટલમાં પણ ગયા. હોસ્પિટલે કહ્યું કે, અહીં કોઈ બેડ ખાલી નથી. તે પછી તેમને બીજી હોસ્પિટલ જવું પડ્યું. એ હોસ્પિટલે પણ દાખલ કરવાની ના પાડી દીધી. ભત્રીજાએ કહ્યું કે, ‘શનિવારે આખો દિવસ અમે હોસ્પિટલના જ ચક્કર કાપતા રહ્યા. દરેક જગ્યાએ વિનંતી કરી, પરંતુ કોઈ ફાયદો ન થયો. એટલું જ નહીં, અમે હોસ્પિટલના સ્ટાફના પગમાં પડ્યા અને વિનંતી કરી પરંતુ કોઈ ફાયદો ન થયો.’


હોસ્પિટલના ગેટ પર જ દમ તોડ્યો
ભત્રીજાએ જણાવ્યું કે, ‘શનિવારે રાત્રે 10 કલાકે અમે ઘરે પાછા આવ્યા. ત્યાં સુધી અમે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી રાખી હતી. કષ્ટદાયક રાત પછી અમે બીજા દિવસે રવિવારે તેમને રાજાજીનગર સ્થિત એક લેબમાં લઈને ગયા. અહીં અમે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ પછી અને ફરીથી હોસ્પિટલ શોધવાનું શરૂ કર્યું. આ વખતે અમે કેટલાક મોટા માથાઓને પણ કોલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ ફાયદો ન થયો. રવિવારે 8 વાગ્યાની આસપાસ અમે બોરિંગ એન્ડ લેડી કરઝન હોસ્પિટલ ગયા અને ભરતી કરવા માટે વિનંતી કરી. અમે તેમને કોરોના ટેસ્ટ પણ બતાવ્યો. તેઓ માની ગયા, પરંતુ હોસ્પિટલના ગેટ પર જ તેમનું મોત થઈ ગયું.’


‘જે અમે સહન કર્યું, નથી ઈચ્છતા કે કોઈ બીજા સાથે બને’
કોવિડ-19 ટેસ્ટનું પરિણામ આવે ત્યાં સુધી મૃતદેહ હોસ્પિટલના મડદાઘરમાં રાખવામાં આવ્યો છે. વેપારીના બે બાળકો 28 અને 25 વર્ષના છે. બંને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ભત્રીજાએ કહ્યું કે, ‘અમને ખબર નથી કે, અંકલને કોવિડ-19 ઈન્ફેક્શન હતું કે નહીં, કે પછી વાયરસનો ડર ઊભો કરવામાં આવી રહ્યો છે.’ તેમણે કહ્યું કે, બે દિવસમાં તેઓ 150 કિમી ફર્યા. ભત્રીજાએ કહ્યું કે, ‘તમે કોઈપણ હોસ્પિટલનું નામ લો, અમે એ બધી હોસ્પિટલમાં ગયા હતા. અમને બિલ્ડિંગની અંદર પણ જવા ન દેવાયા. કોઈએ કહ્યું કે, આઈસીયુ ખાલી નથી, કોઈએ કહ્યું કે, બેડ નથી. અમે નથી ઈચ્છતા કે કોઈ બીજાને આવી મુશ્કેલી સહન કરવી પડે. સરકારે તેનો રસ્તો શોધવો જોઈએ.’

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...