લેહની મુલાકાતે PM મોદીના નિવેદન પર ચીની દૂતાવાસે આપી આ પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચ્યા અને ત્યાં સીમા પર હાજર સૈનિકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ સૈનિકોને કહ્યું કે તમારી ઈચ્છાશક્તિ હિમાલયની માફક મજબૂત છે અને સમગ્ર દેશને તમારા પર ગર્વ છે.
ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક જ લદાખ પહોંચ્યા હતા
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
પીએમ મોદીએ લેહમાં જવાનોને સંબોધિત કરતા ચીનનું નામ લીધા વિના કહ્યું કે વિસ્તારવાદનો યુગ ખતમ થઈ ગયો છે. હવે વિકાસવાદનો સમય છે. ઝડપથી બદલાતા સમયમાં વિકાસવાદ પ્રાસંગિક છે અને ગત સદીમાં વિસ્તારવાદે માનવજાતિનો વિનાશ કર્યો. વિસ્તારવાદની જીદ વિશ્વશાંતિ માટે ખતરો છે.
China has demarcated boundary with 12 of its 14 neighboring countries through peaceful negotiations,turning land borders into friendly cooperation bonds. It’s groundless to view China as expansionist,exaggerate&fabricate its disputes with neighbours: Spox,Chinese Embassy in India pic.twitter.com/mpcxpv4aAZ
— ANI (@ANI) July 3, 2020
નવી દિલ્હી સ્થિત ચીની દૂતાવાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ચીની દૂતાવાસના પ્રવક્તાએ ટ્વિટ કરતા જણાવ્યું કે ચીને 14 પાડોશીઓ પૈકી 12 સાથે શાંતિપૂર્ણ વાતચીતના આધારે સીમાનો ઠરાવ કર્યો છે અને તેનાથી જમીનની સરહદ દોસ્તીના સહયોગના બંધનમાં બંધાઈ છે. ચીનનો તેના પાડોશીઓ સાથેનો મતભેદ વધારીને રજૂ કરવો અને તે વિસ્તારવાદીરૂપે જોવો આધારહીન છે.
भारतीय सेना के रहते देश की सीमाएँ हमेशा सुरक्षित रही हैं।
प्रधानमंत्री श्री @narendramodi का आज लद्दाख़ जाकर सेना के जवानों से भेंट करके उनका उत्साहवर्धन करने से निश्चित रूप से सेना का मनोबल और ऊँचा हुआ है।मैं प्रधानमंत्रीजी के इस कदम की सराहना करते हुए उन्हें धन्यवाद देता हूँ।
— Rajnath Singh (@rajnathsingh) July 3, 2020
પીએમ મોદીએ સેનાના જવાનોને કહ્યું કે તમે જે સેવા કરો છો તેનો મુકાબલો સમગ્ર વિશ્વમાં કોઈ કરી શકે નહીં. વડાપ્રધાન મોદીની આ મુલાકાત પર રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરતા જણાવ્યું કે ભારતીય સેનાના હોવાથી દેશની સીમાઓ હંમેશાં સુરક્ષિત રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લદાખ જઈને સૈનિકો સાથે મુલાકાત કરીને સેનાનું મનોબળ વધુ ઊંચું થયું છે. સાથે જ કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરતા કહ્યું કે પીએમ મોદીની આ મુલાકાતથી સેનાનું મનોબળ વધશે.
Comments
Post a Comment