અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI જાડેજાને કોરોના થતાં હોમ કવોરેન્ટાઈન

અમદાવાદ: ગુજરાતમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત શહેર અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસોનો સિલસિલો યથાવત છે. કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. ત્યારે શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. જાડેજાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના રાઈટરનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


મીડિયા રિપોર્ટ મુજબ પીઆઈ જાડેજામાં કોરોનાનો લક્ષણો નથી છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલા સર્વેલન્સ રાઈટર સંજય ચૌધરીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જણાવી દઈએ કે, અમદાવાદ હાલ 21 પોલીસકર્મીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોના વકરી રહ્યો છે. જાડેજા પશ્ચિમ વિસ્તારના પ્રથમ પીઆઈ છે જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, હવે તેમના સપંર્કમાં આવેલા અન્ય લોકોની પણ કોન્ટેક્ટ ટ્રેસિંગથી તપાસ કરાશે.


છેલ્લા 24 કલાકમાં 202 કેસ નોંધાયા
છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 200ની આસપાસ રહી છે. છેલ્લા 24 કલાકમાં 202 નવા કેસ નોંધાયા છે જ્યારે 7 લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે. બીજી તરફ સુરતમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 191 નવા કેસ નોંધાયા છે અને 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત જિલ્લામાં 36 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 179 લોકો ડિસ્ચાર્જ થયા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...