NEET, JEE મેઈન અને એડવાન્સ્ડની પરીક્ષાની તારીખ બદલાઈ

નવી દિલ્હી: વિદ્યાર્થીઓના અનુરોધ અને વિરોધ બાદ જેઈઈ મેઈન અને નીટની પરીક્ષાને સ્થગિત કરી દેવાઈ છે. આ બંનેની પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરી આ જાણકરી આપી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


પોખરિયાલે ટ્વિટ કરી લખ્યું કે, ‘વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે અમે #JEE અને #NEET પરીક્ષાઓને સ્થિગિત કરવાનો નિર્ણય લીધો છે. JEEની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત કરાશે. JEE એડવાન્સ્ડની પરીક્ષા 27 સપ્ટેમ્બર અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરાશે.’




વિદ્યાર્થીઓ ઘણા દિવસથી નીટ અને જેઈઈ મેઈનની પરીક્ષાને સ્થગિત કરવાની માગ કરી રહ્યા હતા. સ્ટૂડન્ટ્સની માગને ધ્યાનમાં રાખતા માન વ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કમિટી બનાવી હતી, આ કમિટીએ સ્થિતિનો રિવ્યુ કર્યો અને તે પછી આજે નીટ અને જેઈઈ મેઈન પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા JEE Mainની પરીક્ષા 18થી 23 જુલાઈની વચ્ચે લેવામાં આવનાર હતી. તો, નીટની પરીક્ષા 26 જુલાઈએ આયોજિત થવાની હતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...