કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને કોરોના, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ICUમાં રખાયા

અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાની સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોકે, સોમવારે સાંજે તેમની તબિયત થોડી નાજૂક થતાં તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


જાણવા મળ્યા મુજબ, તેમને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. દિવસ દરમિયાન તેમની સ્થિતિ સારી રહી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. હાલમાં તેમને હાઈ ફ્લો ઓક્સિજન (BIPAP) પર રાખવામાં આવ્યા હોવાનું અને કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવાયા હતા. જોકે, તેઓ જીતી શક્યા ન હતા. ગુજરાતની ચાર બેઠકોમાંથી 3 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહેલ વિજયી થયા હતા.


ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 32,643 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં 620 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં તો અમદાવાદ કરતા સુરતમાં કેસો વધી ગયા છે. અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 197, જ્યારે સુરતમાં 199 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 20193એ પહોંચ્યો છે, જ્યારે સુરતમાં કુલ કેસોનો આંકડો 4829એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 1948 લોકોના મોત થયા છે.


 

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...