કાલથી શરુ થનારી GTUની પરીક્ષા રદ કરી દેવાઈ

અમદાવાદ: કોલેજો અને યુનિવર્સિટીઓની ફાઈનલ યરની પરીક્ષા લેવાશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કર્યાના કલાકોમાં જ સરકારે ફેરવી તોળ્યું છે. હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આગળ ધરતા ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે અંડરગ્રેજ્યુએટ સ્તરની પરીક્ષા નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે, GTUની પરીક્ષા તો કાલથી જ શરુ થતી હતી. હવે સરકાર પરીક્ષાઓ ક્યારે લેવાશે તે અંગે નવી તારીખ જાહેર કરશે.


સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલના સંજોગોમાં તમામ યુનિવર્સિટીની પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. જીટીયુની પરીક્ષા પણ નહીં લેવાય. ખુદ ચુડાસમાએ જ જણાવ્યું હતું કે 7, 15 તેમજ 20 જુલાઈથી લેવાનારી અલગ-અલગ યુનિ.ની પરીક્ષાઓ ભારત સરકારની સૂચના મુજબ મોકૂફ રાખવામાં આવે છે. પરીક્ષાઓ ક્યારે લેવી તેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.


ચુડાસમાએ કહ્યું હતું કે ભારત સરકારે દરેક રાજ્યોમાં પરીક્ષા બાબતે એકસૂત્રતા જળવાય તે હેતુથી જે સૂચન આપ્યું છે તે ગુજરાત સરકારે પાલન કરવાનું નક્કી કર્યું છે. સીએમ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત હું કરું છું.


આજે બપોરે જ પોતે જ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કકરી હતી અને કલાકોમાં જ કેમ તેને રદ કરાઈ રહી છે તેવા સવાલના જવાબમાં ચુડાસમાએ જણાવ્યું હતું કે તે નિર્ણય રાજ્ય સરકારનો હતો. જોકે, કેન્દ્ર સરકારના નિર્દેશનું પાલન કરતાં હવે પરીક્ષા ના લેવાનું નક્કી કરાયું છે.


ચુડાસમાએ જણાવ્યું હતું કે, દરેક રાજ્યોમાં પરીક્ષા અંગે એકસૂત્રતા જળવાય તે જરુરી છે, અને તેને માનવા ગુજરાત સરકાર બંધાયેલી પણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાત સરકાર તો પરીક્ષા લેવા તૈયાર જ હતી, અને છે પરંતુ ભારત સરકારના નિર્દેશનું પાલન કરવાનું સરકારે નક્કી કરતાં હવે પરીક્ષા નહીં લેવાય.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...