કોરોના: સુરતમાં CM રૂપાણીની સમીક્ષા બેઠક પૂર્ણ, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા

સુરત: ડાયમંડ સિટીમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતા સીએમ રૂપાણી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ સુરત દોડી આવ્યા છે. અહીં રૂપાણીએ કલેક્ટર કટેરી ખાતે શહેરના મ્યુનિસિપિલ કમિશનર અને આરોગ્યના અધિકારીઓ તેમજ સરકારી હોસ્પિટલના અધિકારી અને ડૉક્ટર્સ સાથે કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરોનાને કેવી રીતે અટકાવી શકાય? તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે. હવે રૂપાણીની અધિકારીઓ સાથેની મેરેથોન બેઠક પૂર્ણ થઈ ગઈ છે. સુરત શહેરમાં વધુ 200 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. રૂપાણીના જણાવ્યાનુસાર કોરોના માટેના જરૂરી ઈન્જેક્શન સ્વિટઝરલેન્ડથી મંગાવવામાં આવ્યા છે, જેનું ખાનગી હોસ્પિટલોએ પડતર કિંમતથી જ વેચાણ કરવું પડશે.


સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 15 દિવસથી વધી રહ્યા છે. ગઈકાલે રેકોર્ડબ્રેક 248 કેસ પોઝિટિવ આવ્યાં હતાં. શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોના બેકાબૂ બન્યો છે. હીરા માર્કેટ અને હીરાના કારખાનાઓમાં કોરોના વકરતા તેને બંધ કરવાની નોબત આવી છે. ગાંધીનગરથી કોરોના મેનેજમેન્ટમાં ગોથું ખવાઈ ગયું હોય તેવું જણાતા પહેલાં આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા હતા. પરંતુ પરિસ્થિતિ વધુ ગંભીર જણાતા હવે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કમાન સંભાળી લીધી છે. સુરતને કોરોનાથી બચાવા માટે રૂપાણી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અધિકારીઓ સાથે સુરત આવી પહોંચ્યા છે.


સુરતની મુલાકાત બાદ CM રૂપાણીએ કરેલી મહત્વની જાહેરાત
– કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે.
– સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે.
– સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે.
– કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની અપાઇ છૂટ.
– બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે.
– રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા.
– સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેક્ટરી બંધ કરાશે.
– ડાયમંડ-ટેક્સટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...