સુરત: કંપનીએ નોકરી પર પરત આવવા દબાણ કરતા CA યુવતીની આત્મહત્યા

સુરત: સુરતમાં કંપનીએ નોકરી પર પરત આવવા માટે દબાણ કરતા સરથાણા વિસ્તારમાં CA યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સુરતના સરથામાં રહેતી અને અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાં CA તરીકે કામ કરતી પંછિલાએ નોકરી છોડી દીધી હતી. પરંતુ કંપનીના સંચાલક દ્વારા નોકરી પર પરત આવવા માટે દબાણ કરાતા પંછિલા મેન્ટલ સ્ટ્રેસ અનુભવતી હતી. છેવટે કંટાળીને તેણીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી. જોકે, યુવતીના પિતાએ કંપનીના સંયાલકે ધમકી આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


મીડિયા રિપોર્ટ મુજબ સુરતના સરથાણા વિસ્તરમાં આવેલા સ્વામિનારાયણ નગરી બાજુમાં ધર્મરાજ સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પંછિલા ચતુર લુણાગરીયાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. પંછિલાએ CAનો અભ્યાસ પૂર્ણ કરીને અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાં છેલ્લા દોઢ વર્ષીથી નોકરી કરતી હતી. કોરોના લોકડાઉન બાદ પંછિલાએ તે કંપનીમાંથી નોકરી છોડીને અન્ય કંપનીમાં જોડાઈ હતી. જે બાદ અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીના માલિક સંજય અગ્રવાલ દ્વારા આ યુવતીને પોતાની કંપનીમાં નોકરી પર લાવવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું.


ફોન અનલોક થયા બાદ વધુ હકીકત સામે આવી શકે
CA યુવતીના આપઘાત પ્રકરણમાં હવે તમામ તપાસ મોબાઈલ ફોન પર કેન્દ્રિત થઈ છે. કારણ કે પરિવારનું કહેવું છે કે, કંપનીનો માલિક સંજય અગ્રવાલે પંછિલાને ધમકી આપી હતી, જેથી તે માનસિક તણાવમાં આવી જતા આપઘાત કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ લોકડાઉન પહેલા દોઢ મહિનાથી યુવતીને પગાર મળ્યો નહોતો. પિતાના જણાવ્યાનુસાર કંપનીના માલિકે પંછિલા પર કેસ કરવાની ધમકી પણ આપી હતી. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ પંછિલાએ કોઈ સુસાઈડ નોટ નથી લખી. તેનો ફોન પણ લોક છે. તેનો ફોન અનલોક થયા બાદ કોઈની સાથે ચેટિંગનો રેકોર્ડ મળી શકે છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...