ઈસ્લામિક ઢબે થયા હતાં ઈન્દિરા ગાંધીનાં અંતિમ સંસ્કાર? જાણો વાયરલ ફોટોનું સત્ય

દાવો


ટ્વિટર હેન્ડલ @Montybisht_ પરથી પૂર્વ પીએમ રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીનો એક ફોટોગ્રાફ શેર કરવામાં આવ્યો છે. જેમાં તેઓ બંને એક શબ આગળ ઊભા છે અને તેમના હાથ જોતા એવું લાગે છે કે જાણે તેઓ કલમાનું પઠન કરી રહ્યા છે. આ ફોટોગ્રાફમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમાં જોવા મળી રહેલું શબ પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર ઈન્દિરા ગાંધીનું છે.



હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


શેર કરવામાં આવેલા ફોટોગ્રાફ પર લખ્યું છે કે ઈન્દિરા ગાંધીના શબ સામે રાહુલ અને રાજીવ ગાંધી કલમાનું પઠન કરી રહ્યા છે. તેમ છતાં આપણા દેશના લોકોને લાગે છે કે તેઓ બ્રાહ્મણ છે.


શું છે સત્ય?


ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરાયા હતા. શેર કરવામાં આવેલો ફોટો અબ્દુલ ગફ્ફાર ખાનની અંતિમ યાત્રાનો છે. જેમાં તે સમયના ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી પણ સામેલ થયા હતા.


કેવી રીતે કરી તપાસ?


આ ફોટોગ્રાફની રિવર્સ ઈમેજ સર્ચ કરતા અમને skyscrapercity.comની લિંક મળી કે જ્યાં આ ફોટોગ્રાફ પણ હતો. આ ફોટોગ્રાફની નીચે લખ્યું હતું કે આ ફોટોગ્રાફ અબ્દુલ ગફ્ફાર ખાનની અંતિમ યાત્રાનો છે જે પેશાવરમાં ક્લિક કરાયો હતો. આ સમગ્ર ફોટોગ્રાફમાં રાજીવ ગાંધીની સાથે નરસિમ્હા રાવ પણ જોવા મળી રહ્યા છે.



રિવર્સ સર્ચમાં અમને Mohsin Dawar નામના વેરિફાઈડ હેન્ડલ પરથી વર્ષ 2016માં ટ્વિટ કરવામાં આવેલો આ ફોટોગ્રાફ મળ્યો. આ ફોટોગ્રાફમાં સાથે લખ્યું હતું કે રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને નરસિમ્હા રાવ આ અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. ટ્વિટર બાયો મુજબ મોહસિન પેશાવર હાઈકોર્ટમાં વકીલ છે અને લેખક પણ છે.




ત્યારબાદ અમે ઈન્દિરા ગાંધીની અંતિમ વિધિનો ફોટોગ્રાફ સર્ચ કરતા Getty Images પર એવા ઘણાં ફોટોગ્રાફ મળ્યા કે જેમાં રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય એક આર્ટિકલમાં જણાવ્યા મુજબ રાજીવ ગાંધી સ્વીડનની મુલાકાતે જઈ રહ્યા હતા, વચ્ચે પેશાવરમાં રોકાયા અને અબ્દુલ ગફ્ફાર ખાનને અંતિમ વિદાય આપી હતી.


તારણ


ઈન્દિરા ગાંધીની અંતિમ યાત્રામાં રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ કલમાનું પઠન કર્યું તે દાવો ખોટો છે. આ દાવા સાથે જે ફોટોગ્રાફ શેર કરવામાં આવી રહ્યો છે તે પેશાવરમાં અબ્દુલ ગફ્ફાર ખાનની અંતિમ યાત્રાનો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...