કોરોના: પૂનામાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં નવા ભાડૂત માટે પ્રવેશ બંધ

પૂના: મહારાષ્ટ્રના પૂના શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા આંકડાને ધ્યાનમાં રાખતા હવે વહીવટીતંત્ર વધારે સજાગ થયું છે. ત્યારે હવે પૂના શહેરના વહીવટીતંત્રએ એક નવો નિર્ણય લીધો છે કે પૂના શહેરના કન્ટેઈનમેન્ટ ઝોનમાં હવે કોઈપણ નવા ભાડૂત અને મજૂરને પ્રવેશ મળશે નહીં. પૂના શહેરના વહીવટીતંત્રના આદેશ મુજબ હવે કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોઈપણ નવા વ્યક્તિને મકાન ભાડે આપવામાં આવશે નહીં. સાથે જ પ્રવાસી મજૂરોને પણ મકાન ભાડે આપવામાં આવશે નહીં.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


પૂના શહેરના કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટી ઊંમરના વ્યક્તિ, ગર્ભવતી મહિલા અને નાના બાળકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર જવા માટેની પરવાનગી મળશે નહીં. કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દૂધ, શાકભાજી વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી શકાશે. પૂના શહેરની કોઈપણ સોસાયટીમાં જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળશે તો ત્યાં 28 દિવસ માટે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાશે.


પૂનામાં ભલે દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો હોય પણ સામે કોરોના વાયરસને હરાવીને સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધુ છે. પૂનામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 23 હજારની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે, જે પૈકી કુલ 61 ટકા દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે.


અહીં નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 180298 કેસ નોંધાયા છે અને કુલ 8053 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 604,641 કેસ નોંધાયા છે અને કુલ 17,834 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...