આ કારણથી બેડ પર બેસીને ક્યારેય ન કરવું જોઈએ કોઈ કામ

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોકડાઉન પહેલા આપણે બધા વહેલા ઉઠી જતા હતા અને પોતપોતાના ભાગનું કામ પતાવીને ઓફિસે જતા રહેતા હતા. ઓફિસેથી આવીને ફરી થોડું કામ, પરિવાર સાથે બેસીને ડિનર અને પછી થોડીવાર ટીવી જોઈને ઊંઘી જતા. પરંતુ હવે દિનચર્યા બદલાઈ ગઈ છે. લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ પણ હજુ કેટલીક ઓફિસો બંધ છે અને લોકો ઘરે બેસીને કામ કરી રહ્યા છે. જેના કારણે સવારે ઊઠવાથી લઈને રાત્રે ઊંઘવાનો સમય બદલાઈ ગયો છે. આટલું જ નહીં કેટલાક તો સવારે ઊઠતાની સાથે જ ફ્રેશ થયા વગર લેપટોપ લઈને બેડમાં જ ઓફિસનું કામ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ એક સ્ટડી પ્રમાણે બેડ પર બેસીને કામ કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


બેડ ઊંઘવા માટે છેઃ
બેડ પર બેસીને કામ કેમ ન કરવું જોઈએ તે પાછળનું પહેલું અને મુખ્ય કારણ એ છે કે, બેડ ઊંઘવા માટે છે, કામ કરવા માટે નહીં. હાવર્ડના ડિવિઝન ઓફ સ્લીપ મેડિસિન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, કોઈએ પણ ઊંઘવાની જગ્યાએ બેસીને કામ ન કરવું જોઈએ. જે રૂમમાં તમે ઊંઘો છો ત્યાંથી લેપટોપ, ટીવી અને વર્ક સ્ટફને દૂર રાખવું જોઈએ. બેડરૂમ અને તમારી ઊંઘ વચ્ચે હેલ્ધી મેન્ટલ અસોસિએશન હોય તે જરૂરી છે. તેથી જ્યારે તમે બેડ પર બેસીને કામ કરો છો અને બાદમાં ત્યાં જ ઊંઘો છો તો તમને જોઈએ તેવી માનસિક શાંતિ મળતી નથી.


તેથી, જ્યારે તમે કામ અને આરામની જગ્યાને મિક્સ કરો છો ત્યારે તેની સીધી અસર મગજ પર થાય છે. જો તમે બેડ પર બેસીને કામ કરશો તો ઊંઘતી વખતે પણ મગજમાં સતત તેના વિચારો ચાલતા રહેશે.


પુઅર પૉશ્ચર અને સ્ક્રીન એક્સપૉઝરઃ
– જ્યારે તમે બેડ પર બેસીને કામ કરો છો ત્યારે યોગ્ય પૉશ્ચર જાળવી શકતા નથી, જેના કારણે પીઠનો દુઃખાવો થઈ શકે છે.


– આ સિવાય બેડરૂમમાં બેસીને મોડા સુધી સ્ક્રીન સામે કામ કરવામાં આવે તો તે પણ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તેથી, જ ઊંઘતાની એક કલાક પહેલા મોબાઈલ, ટીવી તેમજ લેપટોપની સ્ક્રીનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.


આવી સ્થિતિમાં તમે શું કરશો?


ઘરમાં જ વર્કસ્પેસ ક્રિએટ કરો. જે તમારા બેડથી દૂર હોવી જોઈએ. વર્કસ્પેસ ડાઈનિંગ ટેબલ પર તેમજ લિવિંગ એરિયામાં પણ બનાવી શકો છો.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...