ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મુશ્કેલીમાં ફસાયો, હિતોના ટકરાવનો આરોપ લાગ્યો

આ સમયે કોરોના વાયરસના કારણે ક્રિકેટ સૂંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટર્સ મેદાન પર કમબેક કરવાની રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી કોઈ ક્રિકેટર્સ જાણતો નથી કે તે મેદાન પર ક્યારે કમબેક કરી શકશે. પરંતુ ઘરે બેઠા બેઠા ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. વિરાટ કોહલી પર હિતોના ટકરાવનો આરોપ લગાવાઈ રહ્યો છે. આ માટે સંજીવ ગુપ્તાએ બીસીસીઆઈના લોકપાલને એક મેલ મોકલ્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, બીસીસીઆઈને વિરાટ કોહલી વિરુદ્ધ મેલ કરનારા મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સભ્ય સંજીવ ગુપ્તાએ ભારતીય કેપ્ટનના બિઝનેસ વેન્ચર વિશે વાત કરી અને કહ્યું કે, આ લોઢા સમિતિની ભલામણોનું ઉલ્લંઘન છે.


સંજીવ ગુપ્તા અનુસાર વિરાટ કોહલી એક જ સમયે બે પોસ્ટ પર છે. જે સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય બીસીસીઆઈના નિયમ 38(4)નું ઉલ્લંઘન છે અને કોહલીએ એક પદ છોડવું પડશે. તેના બે પદમાંથી એક ખેલાડી અને બીજું તેની પાસે કરાર આધારિત પોસ્ટ છે. સંજીવ ગુપ્તાએ બીસીસીઆઈના લોકપાલને અનુરોધ કરતા કહ્યું કે, તેઓ કોહલીને એક પદ છોડવાનો આદેશ આપે. જેનાથી બીસીસીઆઈના સંવિધાનના નિયમ નંબર 38(4)નું પાલન થઈ શકે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા સંજીવ ગુપ્તાએ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ પર પણ હિતોના ટકરાવનો આરોપ મૂક્યો હતો. હકીકતમાં ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી તેના કેપ્શનમાં પોતાને JSW સીમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બતાવ્યા હતા. JSW સ્પોર્ટ્સ આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સની માલિકીની ધરાવે છે. JSW સીમેન્ટ પણ JSW ગ્રુપનો ભાગ છે. જોકે દિલ્હી કેપિટલ્સના પૂર્વ મેન્ટર ગાંગુલીને નથી લાગતું કે તેમાં કોઈ પ્રકારના હીતોના ટકરાવનો મુદ્દો બને છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...