ભારત-ચીન વિવાદઃ સરહદ પર થોડી શાંતિ દેખાઈ પણ તણાવની સ્થિતિ યથાવત

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવમાં થોડી નરમાશ આવી છે. બન્ને દેશો તરફથી ગલવાન વેલી પાસે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર જે 4 વિસ્તારમાં તણાવની સ્થિતિ બનેલી હતી, તેમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. જોકે, બન્ને દેશ તરફથી સૈનિકો પાછળ હટવાના મૂડમાં નથી.


આ અઠવાડિયે ભારત અને ચીનની મિલિટરી કમાન્ડર સ્તરની લાંબી વાતચીત થઈ હતી. પરંતુ બન્ને દેશોના સૈનિકો અહીંથી પાછળ હટે તેના માટે હજુ બેઠક કરવી પડશે. 15 જૂને ગલવાન વેલીમાં થયેલી લોહિયાળ ઝપાઝપી બાદ ભારત તરફથી આ વિસ્તારમાંથી ચીની સૈનિકોને પાછળ ખસેડવા માટેના ઉપાયો પર વિચાર કરાઈ રહ્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


સૂત્રોનું માનીએ તો હવે આ સ્થાનને ખાલી કરાવવાની પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે. જો બન્ને દેશોની વાતચીત સકારાત્મક રહે છે તો શિયાળા સુધીમાં આ વિસ્તારમાં પહેલી જેવી શાંત સ્થિતિ બની શકે છે.


બન્ને દેશો વચ્ચે શરુ થયેલો વિવાદ હવે આંતરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગયો છે, જેના પર આખી દુનિયાની નજર છે. ચીનનું નેતૃત્વ આ મામલે સહજ છે કારણ કે તેના પાછળ હટવાથી દુનિયામાં એવો સંદેશ જશે કે ભારત તેના પર દબાણ બનાવવામાં સફળ રહ્યું છે. ભારતે આ મામલે દૃઢતા સાથે પોતાનો પક્ષ રજૂ કર્યો છે કે તે પોતાની સરહદમાં કોઈની દખલને સહન નહીં કરે અને સરહદની સુરક્ષાને લઈને તે કોઈ સમજૂતી નહીં કરે. એવામાં ચીનની સેનાએ સરહદ પરથી પાછળ હટવું જ પડશે. પેંગોંગ સોમાં હાલ પેટ્રોલિંગવાળા વિસ્તારમાં ફિંગર 4થી 8 વિસ્તારમાં ચીનની સેનાએ દખલ દીધી છે, જેના કારણે અહીં વિવાદ વધ્યો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...