સરોજ ખાને સુશાંત વિશે લખી હતી છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, કહી હતી આ વાત

સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતમાંથી ફેન્સ હજુ બહાર નથી આવ્યા ત્યાં બોલિવુડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા ઘણા સમયથી બીમાર રહેલા બોલિવુડના ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું. કાર્ડિયેક અરેસ્ટ આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈ સ્થિત એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


સરોજ ખાનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રીનશોટ

સરોજ ખાન આટલી ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતા. ઈન્સ્ટાગ્રામ પર તેમની છેલ્લી પોસ્ટ સુશાંત સિંહ રાજપૂત વિશેની હતી. એક્ટરનું જ્યારે નિધન થયું ત્યારે તેમણે એક ઈમોશનલ પોસ્ટ લખી હતી.


પોસ્ટમાં સુશાંતની તસવીર હતી અને તેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ‘મેં તારી @sushantsinghrajput સાથે ક્યારેય કામ નથી કર્યું, પરંતુ આપણે ઘણીવાર મળ્યા હતા. તારા જીવનમાં શું ખોટું થઈ રહ્યું હતું? તે અચાનક આવુ પગલું ભર્યું તેનાથી મને આઘાત લાગ્યો છે. તું વડીલો સાથે વાત કરી શક્યો હોત અને તેઓ તને આમાંથી બહાર નીકળવામાં મદદ કરી શક્યા હોત. તને જોઈને અમે પણ ખુશ રહેત. ભગવાન તારી આત્માને શાંતિ આપે. અત્યારે તારા પિતા અને બહેન પર શું વીતી રહ્યું હશે તે હું જાણતી નથી. પરંતુ મારી સાંત્વના તેમની સાથે છે. મને તું તારી દરેક મૂવીમાં ગમ્યો હતો અને હંમેશા તને પ્રેમ કરતી રહીશ. R.I.P’.


ચાર દશકા કરતાં વધારે સમયના કરિયરમાં સરોજ ખાને 2 હજાર કરતાં વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યા હતા. 22 નવેમ્બર, 1948માં જન્મેલા સરોજ ખાન એવું નામ હતા, જેને દરેક વ્યક્તિ જાણતી હતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...