અમદાવાદ: કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતી રેમડેસિવિર દવાની તંગી

અમદાવાદ: ICUમાં સારવાર લઈ રહેલા કોરોના વાયરસના દર્દીઓને રેમડેસિવિર (Remdesivir) દવા આપવામાં આવે છે. પરંતુ રાજ્ય અને શહેરમાં આ દવાનો જથ્થો ખૂટી પડે તેવા આસાર છે. મેડિકલ સંસ્થાઓ આ મુદ્દે રાજ્ય સરકાર અને દવા બનાવતી કંપનીઓને રજૂઆત કરશે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA)ના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ કહ્યું કે, કોરોનાની સારવારમાં બે એન્ટીવાયરલ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. એક રેમડેસિવિર અને બીજી ફેવિપીરાવીર (Favipiravir). જો કે, હાલ રેમડેસિવિરની માગ વધારે છે. આ દવા સામાન્ય રીતે ICUમાં દાખલ કરાયેલા કોરોનાના દર્દીને અપાય છે.


ડૉ. ગઢવીએ આગળ જણાવ્યું, “છેલ્લા થોડા દિવસથી રેમડેસિવિર દવા મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. અમે મોટા ડીલરોનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, નવો જથ્થો આવતા ઓછામાં ઓછું અઠવાડિયું લાગી જશે. આ દવા ઝડપથી મળી રહે તે માટે અમે વિવિધ સ્તરે રજૂઆત કરીશું.”


જણાવી દઈએ કે, ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ જૂનના મધ્યમાં આ દવાને ભારતમાં કોવિડ-19ના દર્દીઓના સારવાર પ્રોટોકોલમાં સામેલ કરી હતી. વિશ્વભરમાં આ દવાનો ઉપયોગ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું. માત્ર બે ઉત્પાદકો પાસે આ દવાના ઉત્પાદનનું લાઈસન્સ હોવાથી સપ્લાય મળવામાં સમય લાગી રહ્યો છે, તેમ તેમણે કહ્યું.



ફાર્મસી ચેઈન મેડકાર્ટના ડાયરેક્ટર અંકુર અગ્રવાલે પણ સ્વીકાર્યું કે રેમડેસિવિર દવાના જથ્થાની ખેંચ છે. અંકુર અગ્રવાલે કહ્યું, “રેમડેસિવિરનો જથ્થો ખૂબ ઓછો છે. હાલ જો કોઈ પ્રિસ્ક્રિપ્શન સાથે પણ આ દવા લેવા આવે તો આપવી મુશ્કેલ છે. પરંતુ આવતા અઠવાડિયા સુધીમાં નવો જથ્થો આવી જતાં સમાધાન મળી જશે. જો કે, કોવિડ-19ની સારવારમાં વપરાતી અન્ય દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.”


ફાર્મસી સેક્ટરના સૂત્રોનું માનીએ તો, દવાનો જથ્થાની તંગી સર્જાઈ છે કારણકે તેના પર પહેલો હક સરકાર કરે છે. શહેરના એક ડીલરે કહ્યું, “ઘણી હોસ્પિટલોએ આ દવાનો સંગ્રહ કર્યો છે અને આ જ કારણે માગ વધારે છે. Tocilizumabના કિસ્સાની જેમ એકવાર માગમાં ઉછાળો આવ્યા પછી સ્થિતિ સામાન્ય થઈ જશે.” જો કે, આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક લોકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, તેમ ડૉક્ટરોનું કહેવું છે. શહેરના એક તબીબે કહ્યું, “અમને જાણવા મળ્યું છે કે, કેટલાક લોકો બાંગ્લાદેશમાં બનતી બેમસિવિરની આયાત કરીને છાપેલી કિંમત કરતાં બે-ત્રણ ગણા વધુ ભાવે વેચે છે.”

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...