શિરડી સાઈબાબા મંદિર ખૂલશે, આ રીતે ભક્તોને કરવા મળશે દર્શન

શિરડી મંદિર ખોલવા માટે તૈયારી


મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ જોતા રાજ્ય સરકાર દ્વારા હજુ પણ રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે શિરડી સાઈબાબા મંદિર પણ દર્શનાર્થીઓ માટે હાલ બંધ જ રાખવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં મંદિરના દ્વાર જો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે તો તેમાં પણ કેટલાક ખાસ પ્રકારના નિયમ પાળવા પડશે. શિરડીમાં દર્શન માટે દૈનિક ક્વોટા નક્કી કરવામાં આવી શકે છે જેથી મંદિર પરિસરમાં ભીડ ન થાય.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


મંદિર અધિકારીઓએ કહ્યું અમે તૈયાર છીએ



અમારા સહયોગી મહારાષ્ટ્ર ટાઈમ્સના અહેવાલ મુજબ શિરડી સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ડોંગરે જણાવ્યું કે સામાન્ય રીતે શિરડી મંદિરમાં દરરોજ 50000 જેટલા ભક્તો દર્શન કરવા આવતા હોય છે જ્યારે તહેવારના દિવસમાં આ સંખ્યા લાખ ઉપર પહોંચી જાય છે. તેવામાં મંદિર જો ખોલવામાં આવે તો ઓછી સંખ્યા સાથે દર્શનાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત દિવસના 3000 જેટલા દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. આ માટે ટાઈમ સ્લોટ પદ્ધતીને અમલમાં લાવવામાં આવશે.


ટાઇમ સ્લોટ આધારે સીમિત દર્શનાર્થીઓને જ થશે દર્શન



કોરોના સંકટના કારણે 17 માર્ચથી જ શિરડી મંદિર બંધ છે ત્યારે સાઈભક્તો મંદિર ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. તેવામાં મંદિર ખોલવાથી લોકો મોટી સંખ્યામાં શિરડીમાં આવી શકે છે. તેવા સમયે ટાઈમ સ્લોટ પદ્ધતીથી લોકોને દર્શન કરવા માટે સમાન્ય કરતા વધુ સમય રાહ જોવી પડશે. મહત્વનું છે કે આવતી કાલે ગુરુ પૂર્ણિમા છે. આ દિવસે શિરડીમાં ખૂબ જ મોટો ઉત્સવ ઉજવાય છે અને દર વર્ષે આ દિવસે લાખો ભાવિકો સાઈબાબાના દર્શન કરવા માટે આવે છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...