જાણીતા બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનનું હાર્ટ અટેકથી મુંબઈમાં નિધન થયું
કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટના કારણે મુંબઈમાં નિધન થઈ ગયું. તેઓ 71 વર્ષના હતા. સરોજ ખાનને 17 જૂનથી મુંબઈના બ્રાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ અહીં એડમિટ કરાવાયા હતા. જાણકારી મુજબ આજે રાત્રે 1.52 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા. મુંબઈના ચારકોપ કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
પહેલાથી ડાયાબિટિસ સહિતની બીમારીઓ હતી

આ દિગ્ગજ કોરિયોગ્રાફર ડાયાબિટિસ અને તેનાથી સંબંધિત બીમારીઓ સામે લડી રહ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ થયા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેની રિપોર્ટ નેગેટિવ આવી હતી.
લાંબા બ્રેક બાદ 2019માં કર્યું હતું કમબેક

તેઓ લાંબા સમયથી પોતાના કામથી બ્રેક પર હતા અને પાછલા વર્ષે (2019)માં તેમણે કમબેક કર્યું અને મલ્ટીસ્ટારર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં ગીતને કોરિયોગ્રાફ કર્યા હતા.
2000થી વધુ સોન્ગ કોરિયોગ્રાફ કરી ચૂક્યા

ઉલ્લેખનીય છે કે આ દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તેમણે 1974માં પહેલીવાર ‘મેરા નામ’થી કોરિયોગ્રાફર તરીકે બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો. પોતાના કરિયરમાં 2000થી વધારે સોન્ગ કોરિયોગ્રાફ કરનારા આ દિગ્ગજને ત્રણ વખત નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે સરોજ ખાને કેટલીક ફિલ્મોમાં લેખક તરીકે પણ કામ કર્યું છે.
Comments
Post a Comment