શ્યામવર્ણ માટે અત્યાચારનો સામનો કરી રહેલી પત્નીઓ માટે આવ્યા મોટા સમાચાર

સૈબલ સેન, કોલકાતાઃ કોલકાતા હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું છે કે પત્નીના શ્યામ વર્ણને લઈને આચરવામાં આવેલી ક્રુરતા એક ગુનો છે અને આઈપીસીની સેક્શન 498A અંતર્ગત દંડનીય અપરાધ છે. 1998મા કૂચ બિહારમાં લગ્ન બાદ ત્રાસ આપવામાં આવતા એક મહિલાનું મૃત્યુ થયું હતું અને આ સંદર્ભમાં કોર્ટે આ ચૂકાદો આપ્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


જસ્ટિસ સાહિદુલ્લાહ મુન્શી અને સુભાસિસ દાસગુપ્તાએ 25 જૂને આપેલા 31 પાનાના ચૂકાદામાં જણાવ્યું છે કે લગ્ન બાદ પણ સાસરીયાઓએ પીડિતા પર તેના શ્યામવર્ણને લઈને અત્યાચાર ગુજાર્યો અને તેનું મૃત્યુ થયું તેનાથી આઈપીસીની સેક્શન 498A/34 અંતર્ગત ગુનો છે અને પતિ સહિત સાસરીયાઓ પર ગુનો લાગુ પડે છે.


મહિલાના નિવેદનને ટાંકતા પબ્લિક પ્રોસિક્યુટર અરૂણ કુમાર મૈતીએ કહ્યું હતું કે, ઓક્ટોબર 1997મા મહિલાના લગ્નના ત્રણ દિવસમાં મહિલાને ગમાણમાં રહેવું પડ્યું હતું. હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે મહિલાના શ્યામવર્ણને લઈને પતિ અને સારસરીયાઓએ આપેલો માનસિક ત્રાસ આઈપીસી સેક્શન 498A અંતર્ગત ગુનો છે.


બચાવ પક્ષના વકીલ અરિંદમ જાનાએ કહ્યું હતું કે, હું આનાથી સંપૂર્ણ રીતે સહમત છું. લગ્નના બીજા જ દિવસથી મહિલાના પતિ સહિત સાસરીયાઓ તેના શ્યામવર્ણને લઈને તેને કદરૂપી કહેવાનું શરૂ કરી દે તો તે મહિલાએ લગ્નને લઈને જોયેલા તમામ સપનાઓ ચકનાચૂર થઈ જાય છે. કોઈ પણ નવવધૂ માટે આનાથી મોટો માનસિક ત્રાસ કે અત્યારચાર બીજો કોઈ ન હોઈ શકે. આ માનસિક અત્યાચાર છે.


આ કેસમાં આરોપી પતિ મઝિઉલ મિઆહ અને તેના પરિવારને 11,000 રોકડા, ચાંદીના ત્રણ દાગીના સહિત અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી. પરંતુ મહિલા સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તેને બાદમાં સાયકલની ચેનથી માર મારવામાં આવ્યો હતો. તેને સતત ધમકી આપવામાં આવી રહી હતી કે તેનો પતિ તેને છોડી દેશે અને બીજા લગ્ન કરી લેશે.


લગ્નના ત્રણ દિવસમાં તેને ગમાણમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. બાદમાં તેને પિતાને તેને ઘરે લઈ જવાનું કહેવામાં આવ્યું હતું કેમ કે તે ગરીબ છે. જોકે, તેના ચાર દિવસ પહેલા જ મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.


ચૂકાદાને આવકારતા રાજ્યના મહિલા કમિશનના વડા લીના ગંગોપાધ્યાયે જણાવ્યું હતું કે, અમને આશા છે કે આ ચૂકાદાથી ઘણી મહિલાઓને તાકાત મળશે જેમને પોતાના શ્યામવર્ણને લઈને હેરાન કરવામાં આવે છે તેમ છતાં તેઓ કંઈ કહી શકતી નથી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...