આ રીતે બનાવીને ખાઓ પરાઠા, નહીં વધે તમારું વજન

બ્રેકફાસ્ટમાં ગરમાગરમ પરાઠા ખાવા કોને ન ગમે? પરંતુ જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે અને ડાયેટ કરે છે, તેઓ પરાઠાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. મોટાભાગના લોકોનું માનવું છે કે, તેલ લગાવેલા પરાઠા વજન વધારે છે. જો કે, આ પૂરી રીતે સાચું નથી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


જો તમે પરાઠાને યોગ્ય રીતે બનાવીને ખાઓ, તો તમારું વજન વધશે નહીં પરંતુ ઘટશે. મોટાભાગના ઘરમાં પનીર, દાળ, ડુંગળી અને મેથીમાંથી પરાઠા બનાવવામાં આવે છે, જે એક હેલ્ધી ઓપ્શન છે. જો તમે જાણી લેશો કે હેલ્ધી પરાઠા કેવી રીતે બનાવવામાં આવે છે, તો રોજ સવારે ડર્યા વગર તેનો આનંદ લઈ શક છો. તો જાણી લો, હેલ્ધી પરાઠા કેવી રીતે બનાવી શકાય.


જો તમે ડાયેટ પર છે તો સ્ટફિંગ કરેલા પરાઠા ખાવા. પરંતુ સ્ટફિંગ સમજી-વિચારીને કરવું જોઈએ. પરાઠાના સ્ટફિંગ માટે સીઝનેબલ શાકભાજીનો વિકલ્પ પસંદ કરો. સ્ટફિંગને ક્યારેય તેલમાં ફ્રાઈ કરવું નહીં. પનીર, મશરૂમ અને દાળનું સ્ટફિંગ કરવાથી પ્રોટીનની માત્રા વધી જાય છે.


મોટાભાગના ઘરમાં પરાઠા બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો બની શકે તો બાજરી અથવા જઉંના લોટમાંથી પરાઠા બનાવવા. તેમાં ઘઉંના લોટની સરખામણીમાં વધારે ફાઈબર અને પોષક તત્વ હોય છે.


કોઈ પણ પરાઠા તેલ વગર સારા લાગતા નથી. પરંતુ વધારે તેલ પણ વજન વધારે છે. તેથી તેનાથી બચવા માટે એક સિલિકોન બ્રેથ લઈ આવો. બ્રશની મદદથી પરાઠા પર તેલ લગાવો. જેનાથી તેલ ઓછું લગાવાશે. તેવું તેલ વાપરો જેમાં પોલી અથવા મોનોઅનસેચુરેટેડ ફેરી એસિડ હોય.


જો તમારે પરાઠા પર તેલ ન લગાવવું હોય તો થોડું ઘી પણ લગાવી શકો છો. ઘી વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ઘીનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...