સુશાંત આપઘાત કેસ: એક્ટ્રેસ સંજના સાંઘીએ પોલીસ પૂછપરછમાં કર્યા આ ખુલાસા
સંજના સાંઘીની થઈ પૂછપરછ

સંજય મિશ્રા, મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં પોલીસે તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘીની પૂછપરછ કરી છે. મંગળવારે સંજના બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સંજનાની પૂછપરછ અને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા લગભગ 9 કલાક ચાલી હતી. સંજના મંગળવારે સવારે લગભગ 11.15ની આસપાસ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સાંજે 8 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનથી નીકળી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
પોલીસે નોંધ્યું નિવેદન

પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2018માં સંજના સાંઘીને ‘દિલ બેચારા’ માટે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ સિલેક્ટ કરી હતી. મુકેશ છાબડા જ આ ફિલ્મના ડાયરેક્ટર છે. સંજનાને સેટ પર પહોંચ્યા પછી જ ખબર પડી હતી કે, સુશાંત સિંહ રાજપૂત આ ફિલ્મમાં લીડ રોલમાં છે. સંજના અને સુશાંતની મુલાકાત આ ફિલ્મના સેટ પર જ પહેલીવાર થઈ હતી.
#MeTooના આરોપો પર કરી સ્પષ્ટતા

#MeTooવાળા મામલે સંજનાએ પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું કે, ‘મેં સુશાંત પર કોઈ આરોપ લગાવ્યો નહોતો અને સેટ પર આવી કોઈ ઘટના બની નહોતી.’ જણાવી દઈએ કે, 2018માં કોઈએ એવી અફવા ઉડાવી હતી કે સુશાંતે શૂટિંગ દરમિયાન સંજનાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે આવા આરોપો લાગ્યા ત્યારે સંજના અમેરિકામાં હતી. આ એ વખતની વાત છે જ્યારે ફિલ્મનો માત્ર એક ભાગ શૂટ થયો હતો. જે પ્રકારે શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યું હતું તે રીતે બાકીના શૂટિંગમાં સમય હતો. સંજનાને નહોતી ખબર કે, આવી અફવા કોણે ઉડાવી અને સમાચાર ક્યાંથી આવ્યા હતા.
સંજનાને જાણ નહોતી કે આ અફવા ક્યાંથી ઉડી

યુએસએથી પરત આવ્યા બાદ સંજનાને આવા સમાચાર વિશે જાણ થઈ હતી. જે બાદ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે, આવી કોઈ ઘટના બની નથી. ત્યારબાદ સંજનાએ ડાયરેક્ટર મુકેશ છાબડા અને સુશાંત સાથે પણ મુલાકાત કરી હતી. સુશાંત આ દરમિયાન પરેશાન થયો હતો. તેને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું હતું અને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો હતો. આ બાબતથી સુશાંત એટલો વિચલિત થયો હતો કે તેણે સંજના સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જો કે, સંજનાને આ વાતે વાંધો પણ નહોતો કારણકે તેને હકીકતની જાણ હતી અને સુશાંત પાસે નિર્દોષતા સાબિત કરવા આ જ રસ્તો હતો.
સુશાંતે અંગત વાતો શેર નહોતી કરી

સંજનાના જણાવ્યા અનુસાર, સુશાંતે ક્યારેય તેની સાથે અંગત જિંદગીની કોઈ વાત શેર નથી કરી. શૂટિંગ દરમિયાન સુશાંત પોતાના પટના સ્થિત ઘર અને કેટલીક જૂની રમૂજી વાતો શેર કરતો હતો. ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન લાગેલા મીટૂના ખોટા આરોપોના કારણે પોતાની જાતને સંભાળતા સુશાંતને સમય લાગ્યો હતો.
સેટ પર નોર્મલ હતો સુશાંત

સંજનાએ પોલીસને એમ પણ જણાવ્યું કે, સુશાંત પાસે કેટલી અને કઈ ફિલ્મો હતી તેના વિશે ખબર નથી. સુશાંત ડિપ્રેશનમાં હતો તે વાત પણ સંજના જાણતી નહોતી. સંજનાનું માનીએ તો, શૂટિંગ દરમિયાન સુશાંતનો વ્યવહાર એકદમ નોર્મલ હતો અને શિડ્યુલ પ્રમાણે સેટ પર પણ સમયસર આવતો હતો.
Comments
Post a Comment