ઉદયપુરની શાહી મિલકતો પર કોનો હક? કોર્ટે આપ્યો આ આદેશ

ઉદયપુરના રાજવી પરિવારમાં 37 વર્ષથી ચાલે છે વિવાદ


દિવંગત મહારાણા ભગવતસંહના પુત્રો મહેન્દ્રસિંહ મેવાડ અને અરવિંદસિંહ મેવાડ

ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરના શાહી પરિવારની મિલકતનો 37 વર્ષ જૂના વિવાદમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ મહારાણા ભગવતસિંહ મેવાડના ત્રણ સંતાનોને સરખા ભાગે હક આપવાનો આદેશ કર્યો છે. ઉદયપુર રાજ્ય 1971માં ભારતમાં ભળ્યું ત્યારે ભગવતસિંહ મેવાડ ત્યાંના રાજા હતા.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


કોર્ટે આપ્યો આ આદેશ



મંગળવારે કોર્ટે 575 પાનાના આદેશમાં હિંદુ સંયુક્ત પરિવારના ભાગરૂપે બધી મિલકત જુદા-જુદા ટ્રસ્ટોમાં વહેંચી દઈને તેના પર ચાર જણાને એક સરખો હક આપવા કહ્યું છે. આ શાહી મિલકતો પર દિવંગત મહારાણા અને ત્રણ સંતાનોનો એક સરખો હક રહેશે.


મહેન્દ્રસિંહના વકીલો શું કહ્યું?


મહેન્દ્રસિંહ મેવાડ

દિવંગત ભગવતસિંહના સૌથી મોટા પુત્ર મહેન્દ્રસિંહ મેવાડના વકીલ નરેન્દ્રસિંહ કાછવાએ અમારા સહયોગી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ‘અમારા અસીલને કાયદામાં પૂરો વિશ્વાસ છે અને તેઓ વારસા માટે 3 દાયકા કરતા વધુ સમયથી કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. આ કાયદા અને સચ્ચાઈની જીત છે.’


તેમણે કહ્યું કે, ‘મહેન્દ્રસિંહ મોટા પુત્ર છે એટલે તેમને બધી મિલકત મળવી જોઈએ તેવો દાવો તેમણે ક્યારેય કર્યો નથી. તેમણે હંમેશા તેમના પિતા દિવંગત ભગવતસિંહની મિલકત વારસદારોમાં સરખા ભાગે વહેંચવાની માગ કરી છે. તેઓએ ‘મોટા પુત્રના અધિકાર’ના ગ્રાઉન્ડ પર પોતે રાજા હોવાનો દાવો કરતા અપીલ કરી હતી અને તેથી તેમની પાસે તેમની મિલકત રાખવી કે ન રાખવાનો અધિકાર છે. કોર્ટે અમારી અપીલ એડમિડ કરી અને હિંદુ સંયુક્ત પરિવારની પ્રોપર્ટી માની.’


અરવિંદસિંહ મેવાડે શું કહ્યું?


દિવંગત મહારાણા ભગવંતસિંહના નાના પુત્ર અરવિંદ સિંહ મેવાડ

નાના પુત્ર અરવિંદસિંહ મેવાડ કે જેમને મહારાણા ભગવતસિંહે બધી મિલકત વસીયતમાં લખી આપી હતી, તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ‘મારે હજુ ચુકાદો ડિટેઈલમાં વાંચવાનો બાકી છે. જોકે, હાલ પુરતું હું એટલું જ કહી શકું કે, અમે કાયદામાં માનનારા નાગરિકો છીએ અને અમે નામદાર કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ. કાયદાકીય રીતે શું થઈ શકે છે તે જોયા બાદ અમે આગળનું પગલું ભરીશું.’


શાહી પરિવારમાં ઝઘડાનું મૂળ શું છે?


દિવંગત મહારાણા ભગવતસિંહ મેવાડ

મહારાણા ભગવતસિંહ મેવાડે તેમની બંધી સંપત્તિ મોટાપુત્ર અરવિંદસિંહને બધી મિલકત લખી આપી હતી. જેથી વિરોધ ઊભો થયો હતો અને આગ્રહ કરવામાં આવ્યો કે ભૂતપૂર્વ રાજાને આવું કરવાનો હક નથી અને મહેન્દ્રસિંહ મોટાપુત્ર હોવાથી તેમને મેવાડના હિંદુ સંયુક્ત પરિવારના વડા તરીકે ટ્રીટ કરવા જોઈએ. તે પછી 1983માં મહેન્દ્રસિંહે કોર્ટમાં કેસ કર્યો. 19 નવેમ્બર, 1984એ ઉદેયપુર સિટી પેલેસમાં હજારો રાજપૂતો એકઠા થયા અને મહેન્દ્રસિંહને તેમના મહારાણા જાહેર કર્યા. મહેન્દ્રસિંહ મહેલમાં રહી શક્યા હોત, પણ વિવાદ વધુ વકરે તેવી સ્થિતિ હતી અને તે સમયની સરકાર તેનો લાભ લઈ શકે તેમ હતી. તેથી તેમણે કાયદાકીય રીતે લડવાનું નક્કી કર્યું અને વિવાદિત મિલકત પર પોતાનું તાળું અને સરકારનું સીલ મારીને મૂકી દીધી.


કેવો છે શાહી વારસો?


ભૂતપૂર્વ શાહી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન

હાલની તારીખમાં આ શાહી પરિવારની મિલકતોની કિંમત કરોડો રૂપિયા છે. જ્યારે યુનિયન ઓફ ઈન્ડિયા સાથે મહારાણા ભગવતસિંહના પિતાએ રાજ્યનો વિલય કરવાની સંધિ કરી હતી તે સમયે મેવાડ રાજ્યમાં 20 મહેલો હતા. જે ખાનગી મિલકતમાં ફેરવી દેવાઈ હતી અને તેના પર ભૂતપૂર્વ શાહી મિલકત તરીકે રાખવામાં આવી હતી. દરેક મહેલની ખુલ્લી જગ્યા પરિવાર શૂટિંગ કરી શકે તે માટે રાખવામાં આવી, ઘાસવાળી જગ્યાઓ અને જંગલના અધિકાર શાહી પરિવારને આપવામાં આવ્યા, જે 14 સદીઓથી તેઓ ભોગવતા આવ્યા હતા. ઘણા બધા ઘરેણાં અને કિંમતી ધાતુઓ શાહી પરિવારની અંગત મિલકત તરીકે રાખવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...