વિખ્યાત લાલબાગચા રાજાનો ગણેશોત્સવ કરાયો રદ્દ
કોરોના વાયરસ મહામારીની અસર તહેવારો પર પણ દેખાઈ રહી છે. આ વર્ષે ગણેશોત્સવમાં મુંબઈના જગવિખ્યાત લાલબાગચા રાજા દર્શન નહીં આપે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે નિર્ણય કર્યો છે કે, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને તેઓ કોઈપણ ઉત્સવનું આયોજન નહીં કરે. લાલબાગચા રાજા મુંબઈના સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ મુલાકાત લેવાતા પંડાલો પૈકીના એક છે. લાલબાગચા રાજાના દરબારમાં આવવાથી મનોકામના પૂર્ણ થાય છે તેવી પણ આસ્થા લોકોમાં છે.
Comments
Post a Comment