અક્કી પણ બની ચૂક્યો છે નેપોટિઝમનો ભોગ, રાતોરાત આ ફિલ્મમાંથી હટાવી દીધો હતો

નેપોટિઝ્મનો ભોગ બની ચૂક્યો છે અક્કી



વર્ષ 1991માં ફિલ્મ ‘સૌગંધ’થી બોલિવુડમાં ડેબ્યૂ કરનાર એક્ટર અક્ષય કુમારે આજ સુધી પાછું વળીને જોયું નથી. 29 વર્ષના કરિયરમાં તેણે એકથી એક સુપર-ડુપર હિટ ફિલ્મો આપી છે, આટલું જ નહીં ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન આવતો હોવા છતાં તેણે પોતાના ધાંસૂ એક્ટિંગથી કરોડોનો ચાહક વર્ગ ઉભો કરી લીધો છે. આજે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેને અક્ષય કુમારની ફિલ્મ પસંદ ન હોય. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષય કુમાર પણ નેપોટિઝમનો શિકાર બની ચૂક્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


રાતોરાત ફિલ્મમાંથી કરાયો બહાર



સુશાંતના નિધન બાદ સોશિયલ મીડિયા પર આઉટસાઈડર્સ અને નેપોટિઝમની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે અક્ષયનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે જણાવ્યું કે, તે પણ નેપોટિઝમનો શિકાર બની ચૂક્યો છે અને રાતોરાત એક ફિલ્મમાંથી તેને હટાવી દેવાયો છે.


આ ફિલ્મ થઈ હતી ઓફર



વીડિયોમાં અક્ષય કહી રહ્યો છે કે, ‘પહેલા ફૂલ ઔર કાંટેમાં મને કાસ્ટ કરાયો હતો. હું આ ફિલ્મના સોન્ગના મેકિંગમાં, ફોટોશૂટ્સમાં અને આ સિવાય અન્ય જગ્યાએ પણ હાજર રહ્યો હતો. શૂટિંગની એક રાત પહેલા જ્યારે હું તૈયારી કરી રહ્યો હતો તો મને કોલ આવ્યો કે ભાઈ તમે કાલે ન આવતા. તમે રિપ્લેસ થઈ ચૂક્યા છો. હવે આ ફિલ્મનો હીરો બીજો છે’.


અજયે ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ



આપણને જણાવી દઈએ કે ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’માં અક્ષયને અજય દેવગણે રિપ્લેસ કર્યો હતો. આ ફિલ્મથી જ તેણે બોલિવુડમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. તો ફિલ્મ પણ હિટ ગઈ હતી. જો કે, અક્ષયને હાથમાંથી આ ફિલ્મ જતી રહી હોવાનો કોઈ વસવસો નથી અને આજે તે અને અજય ખૂબ જ સારા મિત્રો છે. અને ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...