સુશાંત આત્મહત્યા કેસઃ સંજય લીલા ભણસાલીની પુછપરછ કરશે મુંબઇ પોલીસ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે બોલિવૂડના આ મોટા ડિરેક્ટરને પોલીસનું સમન્સ મળી શકે છે. સુશાંત સિંહે આત્મહત્યા શા માટે કરી તે જાણવા માટે પોલીસ અનેક લોકોના નિવેદન નોંધી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસે હવે સંજય લીલા ભણસાલીની પુછપરછ કરશે.


ભણસાલીને બોલાવશે પોલીસ
સુશાંત સિંહ રાજપૂતે ગત 14 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટસ મુજબ તેઓ ડિપ્રેશનની ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. તે ડિપ્રેશનમાં કેમ હતા અને સુસાઈડ પાછળ શું કારણ હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે અનેક લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. રિપોર્ટસ મુજબ સંજય લીલા ભણસાલીને પોલીસ પુછપરછ માટે બોલાવશે. સૂત્રો મુજબ કંગના રનૌત અને શેખર કપૂરને પણ બોલાવી શકે છે.


ભણસાલીની ફિલ્મ હાથમાંથી ગઈ હોવાની ચર્ચા
ચર્ચા એવી પણ થઈ રહી છે કે સંજય ભણસાલીએ સુશાંતને 4 ફિલ્મ ઓફર કરી હતી પરંતુ આ ફિલ્મો પાછળથી અન્ય એક્ટરને મળી હતી. જોકે ભણસાલી તરફથી આ અંગે કહેવામાં આવ્યું હતું કે ડેટ્સ ન હોવાને કારણે એવું થયું હતું. સમાચાર એવા પણ છે કે યશરાજ સાથેના કોન્ટ્રાક્ટને કારણે સુશાંત તે ફિલ્મો ન શક્યો.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...