કોરોનાનો એવો ડર કે દર્દી સાજા થયા છતાં ઘરે લઈ જવા તૈયાર નથી પરિજનો

હૈદરાબાદ: તેલંગાણાના લોકોમાં કોરોના વાયરસનો ડર એટલો વધી ગયો છે કે જે દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સંપૂર્ણ સાજા થઈ ગયા છે તેઓના પરિવારના સભ્યો હવે આ દર્દીઓને ઘરે લઈ જવા માટે તૈયાર નથી. આ કારણે હવે કોરોના વાયરસને હરાવીને સાજા થઈ ગયેલા દર્દીઓને સરકારી કેન્દ્રોમાં રાખવામાં આવી રહ્યા છે. જે દર્દીઓને તેમના પરિવારના સભ્યો ઘરે લઈ જવા માટે તૈયાર નથી તેવા કુલ 50 દર્દીઓને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


આ અંગે એક અધિકારીએ વાત કરતા જણાવ્યું કે અમારી પાસે એવા 60 કેસ છે કે જેમાં કોરોના વાયરસને હરાવીને સાજા થઈ ગયેલા દર્દીઓને ઘરે લઈ જવા માટે પરિવારના કોઈ સભ્ય આવ્યા નથી. તેઓને એવો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક પરિવારમાં બાળકને કોરોના સંક્રમણ થાય નહીં. અમે દર્દીઓના પરિવારના સભ્યોને આ વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


તેમણે વધુમાં જણાવ્યું કે અમે પોલીસના બળનો ઉપયોગ કરીને દર્દીઓના પરિવારના સભ્યોને બોલાવી શકીએ નહીં. જે દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સાજા થઈ ગયા છે તેઓના સંબંધીઓને અમે સમજાવી રહ્યા છીએ કે જેઓ કોરોના વાયરસને હરાવીને સાજા થઈ ગયા છે તેમનાથી કોરોના ફેલાવાની કોઈ શક્યતા નથી. અમે સમજાવ્યા પછી ત્રણ-ચાર દર્દીઓને તેમના સંબંધીઓ આવીને હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા છે.


ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 566,840 કેસ નોંધાયા છે અને કુલ 16,893 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. કોરોના વાયરસના કુલ 334,822 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...