અમદાવાદઃ ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી

ભારતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દેશમાં હાલ કોરોનાના કુલ 6 લાખથી પણ વધારે કેસો સામે આવી ચૂક્યા છે. દુનિયામાં સૌથી વધારે કેસ મામલે ભારત ચોથા ક્રમે છે. સમગ્ર વિશ્વમાં 1 કરોડથી વધુ લોકોના પોતાની ચપેટમાં લેનારા કોરોના વાયરસ માટે દુનિયાભરમાં 100થી વધારે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. એવામાં કોરોનાની રસી પર કામ કરી રહેલી અમદાવાદની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


અમદાવાદની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને વેક્સીને પ્રીક્લિનિકલ ડેવલપમેન્ટમાં સફળતા મળ્યા બાદ DCGI તરફથી મંજૂરી આપવામાં આવી હતી. કોરોનાની મહામારીના સમયમાં ઈમરજન્સી અને મેડિકલ જરૂરિયાતની સ્થિતિને જોતા કોવિડ-19 એક્સપર્ટ કમિટીની ભલામણ બાદ ઝડપથી એપ્રૂવલ પ્રોસેસ પૂરી કરવામાં આવી હતી.


સૂત્રો મુજબ, ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની વેક્સીનના પ્રાણીઓ પર સફળ ટેસ્ટીંગ બાદ ગુરુવારે DCGIના ડો. વી.જી સોમાણીએ પહેલા અને બીજા ફેઝના ક્લિનિકલ ટ્રાયલ (હ્યુમન ટ્રાયલ) માટે મંજૂરી આપી હતી. સૂત્રો મુજબ, પહેલા અને બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ત્રણ મહિનામાં ખતમ થઈ જશે.


ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વિરોલોજી સાથે મળીને દેશની પહેલી કોરોનાની સંભવિત દવા Covaxin તૈયાર કરી હતી, જેને હ્યુમન ટ્રાયલ માટે DCGI તરફથી મંજૂરી અપાઈ હતી. ત્યારે આ દવા 15મી ઓગસ્ટે ભારતમાં લોન્ચ કરાઈ શકે છે તેવી પણ રિપોર્ટ સામે આવી રહી છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...