હવે ટ્રેન પ્રવાસ બનશે વધુ ઝડપી, રેલવે તૈયાર કરી રહ્યું છે બધી ટ્રેનનું નવું ટાઇમ ટેબલ
કોરોના બાદ હવે બધી ટ્રેનના ટાઈમ ટેબલમાં થશે ફેરફાર

દીપક કે દાસ, નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારી બાદ ભારતીય રેલવેના સંચાલનમાં ધરમૂળથી ફેરફાર આવી રહ્યા છે. મહામારી વચ્ચે રેલવે હવે બધી જ ટ્રેન માટે ઝીરો બેઝ્ડ નવું ટાઈટેબલ બનાવી રહ્યું છે. જેનો અર્થ છે તમામ પ્રવાસી ટ્રેનોની સંખ્યા, તેમની ફ્રિક્વન્સી અને શેડ્યુલ ફરી તૈયાર કરવામાં આવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
અનેક ટ્રેનના રુટમાં કેટલાય સ્ટેશન પરના સ્ટોપેજ નીકળી જશે

સૂત્રોએ જણાવ્યું કે રેલવે પ્લાન ધરાવે છે કે પોતાની બધી જ મેલ, એક્સપ્રેસ અને કેટલીક ટ્રેનના પ્રવાસમાં વચ્ચે હોલ્ટ ઓછા કરવામાં આવે. જેથી ટ્રેનને તેના નિર્ધારીત સ્ટેશન સુધી પહોંચવામાં ઓછામાં ઓછો સમય લાગે. રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે હાલમાં જ કહ્યું હતું કે કોરોનાના કારણે અમને આ ટાઇમટેબલના અમલમાં મોડું થયું છે પરંતુ હવે થોડા સમયમાં જ તેને લાગુ કરી દેવામાં આવશે.
જેથી બે સ્ટેશનો વચ્ચે ટ્રેન પ્રવાસનો સમય ઘટશે

સૂત્રોએ કહ્યું કે કેટલાક કિસ્સામાં એક્સ્પ્રેસ અને મેલ ટ્રેનોના સ્ટોપેજ અંગે પછીથી નિર્ણય લેવામાં આવશે. આ પહેલા અધિકારીઓ એ વાતનું આકલન કરશે કે જે સ્ટેશનને ટ્રેનના હોલ્ટ લિસ્ટમાંથી કાઢવામાં આવનાર છે ત્યાંથી કેટલાક યાત્રીઓ ટ્રેનમાં ચઢે છે અને ઉતરે છે. રેલવેનું માનવું છે કે આ હોલ્ટને ઓછા કરવામાં આવે તો ટ્રેન વધુ ઝડપથી તેના નિર્ધારીત સ્ટેશન સુધી પહોંચી શકશે. રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે 151 ટ્રેન જેનું સંચાલન હવે પ્રાઈવેટ કંપનીઓ કરશે તે પણ આ ઝીરો બેઝ્ડ ટાઇમટેબલનો ભાગ હશે.
Comments
Post a Comment