પતંજલિએ નોટિસના જવાબમાં લખ્યું- અમે કોરોનાના નામે કોઈ કિટ નથી બનાવી

દેહરાદૂનઃ કોરોનિલ દવા પર પતંજલિ ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગને પોતાનો જવાબ આપતા કોરોનાની સારવાર માટેના દાવાને નકાર્યો છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાયસન્સ ઓફિસર વાઈ.એસ.રાવતે જણાવ્યું કે પતંજલિના નોટિસના જવાબમાં લખ્યું છે કે, ‘કોરોના નામથી કોઈ કિટ અમે બનાવી નથી. અમે માત્ર દિવ્ય કોરોનિલ ટેબલેટ, દિવ્ય અણુ તેલ અને શ્વાસારી વટીનું પેકિંગ કર્યું છે. તેને કોરોના કિટ નામથી પેક નથી કરી એટલા માટે પરમિશનની જરૂર નથી.’


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો




વાઈ.એસ. રાવતે જણાવ્યું કે અમને લાગી રહ્યું છે કે તેમણે(પતંજલિ) કોરોનિલની ટેબલ પર કોરોનાનું ચિત્ર લગાવ્યું છે પરંતુ તેઓ ના પાડી રહ્યા છે. અમે તેમને આ ચિત્રને હટાવવા માટે કહીશું. હાલમાં જ યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની હાજરીમાં કોરોનિલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.


આચાર્ય બાલકૃષ્ણનું નવું નિવેદન




બીજી તરફ, કોરોનિલ દવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આચાર્ય બાલકૃષ્ણ, સીઈઓ પતંજલિનું નવું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ દવા અંગે પ્લાનિંગ સાથે ભ્રમ અને ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે. અમે ક્યારેય પણ દવાથી(કોરોનિલ) કોરોના ઠીક કરવાનો કે કંટ્રોલ કરવાનો દાવો નથી કર્યો. અમે કહ્યું હતું કે એવી દવા બનાવી છે જેનાથી કોરોનાના દર્દીઓ ઠીક થયા છે. તેમાં કોઈ ભ્રમ નથી.


પતંજલિએ કોરોનાની દવા બનાવી હોવાનો દાવો કર્યો હતો


23 જૂનના રોજ પતંજલિ આયુર્વેદે રાજસ્થાનની નિમ્સ યુનિવર્સિટી સાથે મળીને કોરોનાની દવા બનાવી હોવાનો દાવો કર્યો હતો. આ દવાનું નામ કોરોનિલ અને શ્વાસારી વટી રાખવામાં આવ્યું હતું. ગુરુ બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને નિમ્સ યુનિવર્સિટીના ચેરમેનની હાજરીમાં હરિદ્વારામાં કોરોનિલને લોન્ચ કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...