ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણઃ રાશિ પ્રમાણે ઉપાય કરવાથી થશે લાભ
અષાઢ માસની પૂનમને આપણા દેશમાં ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 5મી જુલાઈએ એટલે કે રવિવારે ગુરુ પૂર્ણિમા છે, આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જ ચંદ્ર ગ્રહણ હોય તેવું સતત ત્રીજા વર્ષે થઈ રહ્યું છે. 5 જુલાઈએ થનારું આ ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે. એટલે કે તેનું સુતક લાગશે નહીં. પરંતુ જો આ દિવસે રાશિ પ્રમાણે કેટલાક ઉપાયો કરવામાં આવે તો લાભ જરૂરથી થાય છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
– મેષ રાશિઃ ગ્રહણ બાદ ગોળ અને ચણાની દાળનું દાન કરવું
– વૃષભ રાશિઃ આ રાશિના જાતકોએ મંદિરમાં જઈને દહીં અને ખાંડનું દાન કરવું
– મિથુન રાશિઃ ગાયને પાલક ખવડાવવી
– કર્ક રાશિઃ શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી થશે લાભ
– સિંહ રાશિઃ આ રાશિના જાતકોએ તાંબાની કોઈ વસ્તુ અથવા કેસરી વસ્ત્ર મંદિરમાં આપવું
– કન્યા રાશિઃ કાચની લીલી બંગડી કુંવારિકાઓને આપવી
– તુલા રાશિઃ આ રાશિના જાતકોએ મંદિરોમાં અગરબત્તી દાનમાં આપવી
– વૃશ્ચિક રાશિઃ હનુમાનજીના મંદિરમાં ઘીનું દાન કરવું
– ધન રાશિઃ ચણાની દાળ મંદિરના પૂજારીને દાન આપશો તો વધારે લાભ થશે
– મકર રાશિઃ ગરીબોમાં કાળા તલનું દાન કરવું
– કુંભ રાશિઃ ક્યાંક પાણીમાં દીવો કરવો
– મીન રાશિઃ ગરીબ બાળકોને કેળા ખવડાવવાથી લાભ થશે.
કરો આ કામઃ
જો કોઈ વ્યક્તિ દાન ન કરી શકે તો, તેણે ગ્રહણ બાદ ચાંદીના એક સિક્કો અને તુલસીના 11 પાનને લીલા કપડાની એક પોટલીમાં બાંધવા. આ પોટલીને પાણીની ડોલમાં મૂકવી અને તેમાં થોડું ગંગાજળ પણ ઉમેરવું. આ પાણીથી સ્નાન કરવાથી વિશેષ લાભ થશે. સ્નાન બાદ ચાંદીના સિક્કાને તમારી પાસે રાખવો અને તુલસીના છોડને કૂંડામાં મૂકવા. લીલુ કપડું પાણીમાં પધરાવી દેવું
Comments
Post a Comment