ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણઃ રાશિ પ્રમાણે ઉપાય કરવાથી થશે લાભ

અષાઢ માસની પૂનમને આપણા દેશમાં ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 5મી જુલાઈએ એટલે કે રવિવારે ગુરુ પૂર્ણિમા છે, આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જ ચંદ્ર ગ્રહણ હોય તેવું સતત ત્રીજા વર્ષે થઈ રહ્યું છે. 5 જુલાઈએ થનારું આ ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે. એટલે કે તેનું સુતક લાગશે નહીં. પરંતુ જો આ દિવસે રાશિ પ્રમાણે કેટલાક ઉપાયો કરવામાં આવે તો લાભ જરૂરથી થાય છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


– મેષ રાશિઃ ગ્રહણ બાદ ગોળ અને ચણાની દાળનું દાન કરવું


– વૃષભ રાશિઃ આ રાશિના જાતકોએ મંદિરમાં જઈને દહીં અને ખાંડનું દાન કરવું


– મિથુન રાશિઃ ગાયને પાલક ખવડાવવી


– કર્ક રાશિઃ શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી થશે લાભ


– સિંહ રાશિઃ આ રાશિના જાતકોએ તાંબાની કોઈ વસ્તુ અથવા કેસરી વસ્ત્ર મંદિરમાં આપવું


– કન્યા રાશિઃ કાચની લીલી બંગડી કુંવારિકાઓને આપવી


– તુલા રાશિઃ આ રાશિના જાતકોએ મંદિરોમાં અગરબત્તી દાનમાં આપવી


– વૃશ્ચિક રાશિઃ હનુમાનજીના મંદિરમાં ઘીનું દાન કરવું


– ધન રાશિઃ ચણાની દાળ મંદિરના પૂજારીને દાન આપશો તો વધારે લાભ થશે


– મકર રાશિઃ ગરીબોમાં કાળા તલનું દાન કરવું


– કુંભ રાશિઃ ક્યાંક પાણીમાં દીવો કરવો


– મીન રાશિઃ ગરીબ બાળકોને કેળા ખવડાવવાથી લાભ થશે.


કરો આ કામઃ
જો કોઈ વ્યક્તિ દાન ન કરી શકે તો, તેણે ગ્રહણ બાદ ચાંદીના એક સિક્કો અને તુલસીના 11 પાનને લીલા કપડાની એક પોટલીમાં બાંધવા. આ પોટલીને પાણીની ડોલમાં મૂકવી અને તેમાં થોડું ગંગાજળ પણ ઉમેરવું. આ પાણીથી સ્નાન કરવાથી વિશેષ લાભ થશે. સ્નાન બાદ ચાંદીના સિક્કાને તમારી પાસે રાખવો અને તુલસીના છોડને કૂંડામાં મૂકવા. લીલુ કપડું પાણીમાં પધરાવી દેવું

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...