જ્યાં કોરોનાના કેસ વધશે ત્યાં પાન-મસાલાના ગલ્લા બંધ કરી દેવાશેઃ જયંતિ રવિ
સુરતઃ અમદાવાદ બાદ હવે સુરતમાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 3 દિવસથી આરોગ્ય સચિવ સુરતની મુલાકાતે છે. સુરતમાં કોરોનાના કેસને નિયંત્રણ કરવા માટે આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવે પાન-મસાલાની દુકાનો બંધ થવા અંગે સંકેતો આપ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સુરતમાં કોરોનાના કેસ વધવા પાછળનું એક કારણ પાન મસાલા પણ હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં નવી વ્યવસ્થા વધારવાનું કામ ચાલુ થઇ ચૂક્યું છે. સુરત કોવિડ હોસ્પિટલને વધુ 600 બેડ મળશે. 180 નવા ICU આપવામાં આવશે. જયંતિ રવિએ કતારગામ અને વરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે લોકોના જાગૃતિ માટે NGO સાથે વાત કરી હતી. NGO ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી શકશે. લોકોને કોરોના અંગે માહિતી આપવામાં આવશે.
તેમણે એવું પણ કહ્યું કે સુરતમાં કોરોનાના કેસ વધવા પાછળનું કોઈ એક નહીં અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. આ પહેલા જ સુરત મહાનગર પાલિકાએ હિરાના કારખાનાઓને સાત દિવસ બંધ રાખવા માટે આદેશ આપ્યો છે. તેની પાછળનું કારણ છે કે છેલ્લા દિવસોમાં સુરતમાં જે કેસનો વધારો થયો છે તેમાં મોટાભાગે રત્નકલાકારો અથવા તો તેમના પરિવારના લોકો હોવાનું સામે આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને SMC દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Comments
Post a Comment