પરિવાર ક્વોરન્ટાઈન સેન્ટરમાં હતો અને ઘરમાં લાખોની મતા ચોરાઈ, હવે સારવારના પણ પૈસા નથી

કોરોનાના દર્દીના ઘરે થઈ ચોરી



મુંબઈમાં એક ઘરમાં કોરોના વાયરસનો કેસ આવ્યા બાદ સમગ્ર પરિવારને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલી દેવાયો. બંધ પડેલા ઘરમાં ચોર હાથ સાફ કરી ગયા હતા. પરિવારને જ્યારે ક્વોરન્ટાઈનનો સમય ખતમ કરીને ઘરે આવ્યો ત્યારે તેમને ચોરીની ઘટના વિશે ખબર પડી. આ મામલો ભાંડુપનો છે. સાંઈનગર કોલોનીમાં રહેનારા પરિવારનો દાવો છે કે તેમના ઘમાં 6.65 લાખના દાગીના અને 3.55 લાખ રૂપિયે રોકડ હતા જેની ચોરી થઈ છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


પરિવારના સદસ્યો ક્વોરન્ટાઈન સેન્ટરમાં હતા



ઘરના સદસ્યોએ જણાવ્યું કે, તેમના પરિવારના મુખ્ય વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા બાદ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં કોવિડ કેર સેન્ટરમાં એડમીટ કરાવાયા હતા. જ્યારે દર્દીના પત્ની અને દીકરાને પવઈના ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલી દેવાયા. પરિવારનો મોટા દીકરો બદલાપુર કેમિકલ કંપનીમાં કામ કરે છે અને તે ત્યાં જ રહે છે. યુવકે જણાવ્યું કે, તેના પિતાની તબિયત ખરાબ થયા બાદ 14-15 જૂને તેમને ગોરેગાંવની નેસ્કો હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. બાદમાં તેમને બીકેસી હોસ્પિટલમાં એડમિટ કરાવાયા.


હવે પિતાની સારવાર માટે ફંડ એકઠું કરી રહ્યો છે દીકરો



યુવકે જણાવ્યું કે, ક્વોરન્ટાઈનનો સમય ખતમ થયા બાદ તે લોકો ઘરે પહોંચ્યા. તેણે જણાવ્યું કે, તેમણે પિતાની સારવાર માટે એક મિત્ર પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. ઘરે પહોંચીને તેમણે વિચાર્યું કે મિત્ર પાસેથી લીધેલા ઉધાર રૂપિયા તેને આપી દઈશું પરંતુ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા જ તેમને ઝટકો લાગ્યો. હવે પિતાની સારવાર માટે તેઓ ફંડથી પૈસા એકઠા કરી રહ્યા છે.


પોલીસ કરી રહી છે તપાસ



પોલીસ ઈન્સ્પેક્ટર કિશોર સાલ્વીએ જણાવ્યું કે, તેઓ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છે. અત્યાર સુધીમાં કોઈપણ ઘરનું તાળું તોડતા નજર આવ્યું નથી. પોલીસે જણાવ્યું કે, આવી જ રીતે તે વિસ્તારમાં અન્ય એક ઘરમાંથી પણ 30000 રૂપિયાની ચોરી થઈ છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...