કોરોના વિસ્ફોટ: રુપાણી સુરત દોડી ગયા, કોરોનાને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી

સુરત: રોજેરોજ નોંધાતા કોરોનાના નવા કેસોમાં અમદાવાદની લગોલગ પહોંચી ગયેલા સુરતમાં સ્થિતિ કાબૂમાં લેવા સરકાર દોડતી થઈ ગઈ છે. સીએમ રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ પણ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ તો કેટલાક દિવસોથી સુરતમાં જ રોકાયેલા છે, અને કોરોના નિયંત્રણની કામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે. છેલ્લા લગભગ પાંચેક દિવસથી સુરતમાં રોજના 200થી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


ગીચ વસ્તી ધરાવતા સુરતમાં અનેક માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યાં કેસો વધારે છે ત્યાં હીરાના કારખાના પણ હાલ પૂરતા બંધ કરાયા છે. એટલું જ નહીં, કતારગામ જેવા વિસ્તારમાં તો ગઈકાલે તાત્કાલિક અસરથી પાનનાં ગલ્લા પણ બંધ કરાવી દેવાયા હતા. શહેરમાં દર્દીઓની સંખ્યા વધતા વિવિધ કોમ્યુનિટી હોલમાં કોવિડ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.


રુપાણી સાથે ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાસનાથન પણ સુરત પહોંચ્યા છે. આજે આખો દિવસ સીએમ સુરત મ્યુ. કોર્પોરેશન, કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગો કરશે. આ ઉપરાંત તેઓ નવી સિવિલ હોસ્પિટલ અને અન્ય સવલતોની પણ મુલાકાત લઈ કોરોનાના દર્દીઓને સારવાર આપવા ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવાના છે.


ઈન્ડિગોએ સુરતથી ઉપડતી ફ્લાઈટ 30 જુલાઈ સુધી કેન્સલ કરી


સુરત: ઈન્ડિગોએ 30 જુલાઈ સુધી વાયા સુરતથી બેંગલુરુ, ચેન્નૈ, દિલ્હી અને ગોવાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. હવે માત્ર ઈન્ડિગોની સુરત-દિલ્હી ફ્લાઈટ જ ચાલુ છે. સ્પાઈસજેટે પણ સુરતથી આવતી-જતી તમામ ફ્લાઈટ્સ આગામી જાહેરાત સુધી બંધ કરી દીધી છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...