કોરોનાના કેસ વધતા શનિવારે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સુરતની મુલાકાત લેશે

સુરતઃ છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં કેસમાં વધારો થતા આંકડો 5 હજાર ઉપર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ છેલ્લા 3 દિવસથી સુરતની મુલાકાતે છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અધિકારીઓ સુરતમાં કોરોના વાયરસની સ્થિતિને કારણે આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરવા માટે શનિવારે સુરતની મુલાકાત લેવાના છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો


મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. સૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ શનિવારે સવારે 10.30 સુધીમાં સુરત પહોંચશે. અહીં તેઓ સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતાનો ચિતાર મેળવશે.


કોરોના હોટ સ્પોટ બનેલા સુરતમાં અત્યાર સુધીના સૌથી વધુ 248 નવા કેસ સામે આવ્યાં છે. જેમાં શહેરના 190 અને જિલ્લાના 58 મળીને કુલ 5967 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના 5274 અને જિલ્લાના 693 કેસનો સમાવેશ થાય છે. આજે નવા 6 મોત સાથે કુલ મૃત્યુઆંક 220 થયો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...