અસ્થમાથી પીડિત મહિલાને હોસ્પિટલ્સે આપ્યો નહીં પ્રવેશ, થયું મોત

બેંગલુરુ: સામાન્ય જનતાથી લઈને મેડિકલ સ્ટાફમાં કોરોના વાયરસનો એટલો ડર છે કે કેટલીક હોસ્પિટલ્સે સામાન્ય રોગના દર્દીની પણ ટ્રીટમેન્ટ કરી આપવાની ના પાડી દીધી હોવાનું સામે આવ્યું છે. કર્ણાટકના બેંગલુરુનો એક એવો ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે કે અસ્થમાથી પીડિત 49 વર્ષીય મહિલાની સારવાર કરવાની કુલ સાત હોસ્પિટલ્સે કથિતરીતે ના પાડી દીધી. આ કારણે તે મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


પ્રાપ્ત માહિતી મુજબ અસ્થમાથી પીડિત આ 49 વર્ષીય મહિલાને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. શુક્રવારના રોજ આ મહિલાએ તેના પતિને જણાવ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. અસ્થમાથી પીડિત આ મહિલાને તેનો પતિ સારવાર માટે ઘણી હોસ્પિટલ લઈ ગયો પણ કોઈપણ હોસ્પિટલે આ મહિલાને દાખલ કરી નહીં. હોસ્પિટલવાળાને જ્યારે ખબર પડી કે આ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો તેમણે સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું. જ્યારે રાત્રે એક હોસ્પિટલમાં આ મહિલાને લઈ જવામાં આવી ત્યારે તે બેભાન થઈ ગઈ હતી. હોસ્પિટલના સ્ટાફે આ મહિલાનું ચેકઅપ કર્યું અને તેને મૃત જાહેર કરી.


આ મહિલાનું દીકરીના લગ્નના 9 દિવસ પછી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાના પતિએ કથિતરીતે જણાવ્યું કે જ્યારે હોસ્પિટલના સ્ટાફે અમને બોડી સોંપી ત્યારે તેના ઘરેણાં ગાયબ હતા.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...