ગલવાન ઘાટીની અથડામણ પર ફિલ્મ બનાવશે અજય દેવગણ
2 મહિનાથી સરહદ પર તણાવ

છેલ્લા 2 મહિનાથી ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી અથડામણમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પર તણાવ ચાલી રહ્યો છે. ભારતનો આરોપ છે કે ચીનના સૈનિકોએ LACમાં અતિક્રમણ કર્યું છે અને ભારતના વિસ્તારમાં કબજો કરવાની કોશિશ કરી. 15 જૂનના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના પર હવે બોલિવૂડ એકટર અજય દેવગણ ફિલ્મ બનાવશે.
ભારત અને ચીની સેના વચ્ચે અથડામણ

ગલવાન ઘાટીમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા. જોકે ચીની સેનાને પણ ભારે નુકસાન થયાના અહેવાલ છે સૂત્રો મુજબ 40થી વધારે ચીની સૈનિકોના મોત થયા છે. આ શૌર્યની ઘટના પર ફિલ્મ બનાવવાની જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ હજું ફિલ્મનું નામ કે કાસ્ટ ફાઈનલ કરવામાં આવી નથી.
20 ભારતીય જવાનો શહીદ થયા

ફિલ્મમાં ગલવાન ઘાટીમાં ચીની સેના સામે બહાદુરીથી લડનારા ભારતીય સેનાના 20 જવાનોની વાત દેખાડવામાં આવશે. શક્યતા છે કે ફિલ્મ મોટા લેવલે બનશે અને તેની કાસ્ટ પણ મોટી હોઈ શકે છે. આ ફિલ્મને કોણ ડિરેક્ટ કરશે તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
Comments
Post a Comment