કોરોના: અમદાવાદમાં બદલાઈ વ્યૂહરચના, હવે આ ટેકનિકથી થશે ફટાફટ ટેસ્ટ

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, દક્ષિણ ઝોનમાં કેસ વધવાનું શરુ થતાં દર્દીઓને શોધવા તેમજ વધુ કેસો ધરાવતા માઈક્રો ઝોનની ઓળખ કરવા માટે હવે વ્યૂહરચના બદલાઈ છે. હેલ્થ ખાતા દ્વારા હવે શહેરમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટનો ઉપયોગ શરુ કરાયો છે. જેનાથી ગણતરીની મિનિટોમાં જ સેમ્પલના ટેસ્ટનું પરિણામ આવી જશે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


સ્થાનિક અખબાર નવગુજરાત સમયના અહેવાલ અનુસાર હાલની સ્થિતિમાં દર્દીનું સેમ્પલ લેવાય તેના બે દિવસમાં તેનો રિપોર્ટ આવતો હોય છે. જોકે, રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ દ્વારા માત્ર અડધો કલાકમાં જ રિઝલ્ટ આવી જાય છે. આ કિટને તમામ અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચાડી દેવામાં આવી છે, અને તેનો ઉપયોગ પણ શરુ કરી દેવાયો છે. આ ઉપરાંત, કોરોના ટેસ્ટ વાન દ્વારા પણ સેમ્પલ લેવાઈ રહ્યા છે.


અમદાવાદમાં એકંદરે કોરોનાના કેસો ઘટ્યા છે. જોકે, 30 જૂને પશ્ચિમ અને પૂર્વ જોનમમાં 40થી વધુ કેસ આવ્યા હતા. નવા વિસ્તારોમાંથી મળતા છૂટાછવાયા કેસથી ચેપ વધુ ના ફેલાય તે માટે અત્યારથી જ તકેદારી લેવાઈ રહી છે. એક સમયે સૌથી વધુ કેસ ધરાવતા મધ્ય ઝોનમાં એકાદ-બે દિવસ પહેલા એક કેસ નોંધાયો હતો ત્યાં મંગળવારે ફરી 9 નવા કેસ સામે આવ્યા હતા. જોકે, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં પ્રમાણમાં વધુ કેસ મળી રહ્યા છે.


હાલની સ્થિતિએ અમદાવાદમાં કુલ 3052 એક્ટિવ કેસ છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 642, ઉત્તર ઝોનમાં 476, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 466, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 436, દક્ષિણ ઝોનમાં 419, પૂર્વ ઝોનમાં 415 અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા 198 એક્ટિવ કેસ છે. શહેરમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1405ના મોત થયા છે . જેમાં SVPમાં 213, સિવિલમાં 609, ખાનગી હોસ્પિટલોલમાં 283 દર્દીઓના મોતનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...