આ બીમારીમાં મગજ એક્ટિવ અને દિમાગ રહે છે શાંત, થાય છે ભૂત-પ્રેતનો અહેસાસ

ખૂબ ખતરનાક અને વિચિત્ર હોય છે સ્લીપ પેરાલિસિસ


ખતરનાક છે સ્લીપ પેરાલિસિસ

સ્લીપ પેરાલિસિસ એક એવી સ્થિતિ છે જ્યારે વ્યક્તિ દિમાગથી તો જાગતો હોય છે પણ તેનું શરીર ઊંઘી રહ્યું હોય છે. આ દરમિયાન ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં તે હલનચલન કરી શકતો નથી અને પોતાની મદદ માટે બૂમો પાડીને કોઈને બોલાવી પણ શકતો નથી કારણ કે, તેની જૉ લાઈન એટલે કે, જડબાનો નિચેનો ભાગ તેનો સાથ આપતો નથી. આવો, જાણીએ કેમ થાય છે આવી સ્થિતિ અને શું છે તેનો ઉપચાર…


શું છે સ્લીપ પેરાલિસિસ?


શું છે સ્લીપ પેરાલિસિસ?

આ દરમિયાન વ્યક્તિ કૉન્શિયસ હોય છે અને ઈચ્છવા છતાં પણ પોતાના શરીરને એક્ટિવ કરી શકતો નથી. તે પોતાના હાથ-પગ હલાવવાનો પ્રયત્ન કરે છે પણ એવું કરી શકતો નથી. તે મૂવમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે પણ તેનું શરીર કોઈ પ્રતિક્રિયા આપતું નથી. આ એક એવી સ્થિતિ હોય છે જ્યારે વ્યક્તિને બધું સમજાઈ રહ્યું હોય છે, તે અનુભવ કરી રહ્યું હોય છે કે તેની સાથે શું થઈ રહ્યું છે પણ પોતાની સમસ્યાને દૂર કરવાની તેની દરેક કોશિશ નિષ્ફળ રહે છે.


આ મેન્ટલ કન્ડિશન હોય છે આ બીમારીનું કારણ…


આ કારણોસર થાય છે સ્લીપ પેરાલિસિસ

– જ્યારે માણસ બહુ વધારે પડતા સ્ટ્રેસમાં હોય અથવા બાઈપોલર ડિઝઑર્ડરથી પીડાતો હોય ત્યારે પણ આવી સમસ્યા થઈ શકે છે.


– જે લોકોની ઊંઘ અને ઉઠવાનો સમય નિયમિત નથી હોત, તેમને પણ આ પ્રકારની સમસ્યા થઈ શકે છે.


– કોકેઈનનો નશો કરનારા લોકોને સ્લીપ પેરાલિસિસ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે.


ક્યારે-ક્યારે થાય છે આ સમસ્યા?


આ સમયે થાય છે સમસ્યા

સામાન્યપણ ત્રણ સ્થિતિઓમાં સ્લીપ પેરાલિસિસની કન્ડિશન બને છે. આમાં ઊંઘનો શરૂઆતી તબક્કો એટલે કે જ્યારે વ્યક્તિ ઊંઘવાનો પ્રયત્ન કરી રહી હોય ત્યારે. બીજી સ્થિતિ છે જ્યારે વ્યક્તિ ગાઢ ઊંઘમાંથી તરત જાગી જ હોય ત્યારે અને ત્રીજી સ્થિતિ છે ઝપકી લેવી. એટલે કે, બહુ થાક બાદ વ્યક્તિ થોડા સમય માટે ઊંઘી જાય અથવા પાવર નેપ લે ત્યારે પણ આ પ્રકારની સ્થિતિ બની શકે છે.


શું-શું તકલીફો થઈ શકે છે?


કેવા અનુભવો થાય છે?

સ્લીપ પેરાલિસિસ દરમિયાન જુદા-જુદા વ્યક્તિઓને જુદી-જુદી તકલીફો થઈ શકે છે. જેમ કે, કેટલાક લોકો બોલી શકતા નથી અને પોતાની ગરદનને સીધી કરવાનો પ્રયત્ન કરે છે પણ કરી શકતા નથી.


કેટલાક લોકોને આખા શરીરમાં એવો અનુભવ થાય છે કે, તેમનું શરીર બિલકુલ હલી રહ્યું નથી જ્યારે તેઓ પોતાના શરીરને હલાવવાની પૂરી કોશિશ કરી રહ્યા હોય છે.


આ દરમિયાન વ્યક્તિને હેલુસિનેશન્સ થાય છે. જે વસ્તુઓ નથી તેનો આભાસ થાય છે અથવા કોઈ વિચિત્ર પ્રકારના અવાજ સંભળાય છે.


– સ્લીપ પેરાલિસિસ વખતે વ્યક્તિને એન્ઝાઈટી પર થઈ રહી હોય છે. આવામાં વિચિત્ર અવાજો સંભળાવા અને ઈચ્છીને પણ શરીરને મૂવ ન કરી શકવાની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. સ્લીપ પેરાલિસિસ, હેલુસિનેશન અને એન્ઝાઈટી એક સાથે થવાની સ્થિતિને કેટાપ્લેક્સી કહે છે.


સારવાર સાથે જોડાયેલી વાતો


સારવાર

આજે પણ જ્યારે કોઈને સપનામાં ભૂત-પ્રેત દેખાવા અને હલવા-ડોલવામાં સમસ્યા થાય ત્યારે તેને જાદુ-ટોણાં સાથે જોડીને જોવામાં આવે છે. જ્યારે આ એક માનસિક સમસ્યા છે. આની યોગ્ય સારવાર મનોચિકિત્સક દ્વારા થઈ શકે છે. એટલે વિલંબ કર્યા વિના કોઈપણ સાયકાટ્રિસ્ટને મળો અને સારવાર લો.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...