કોરોનાને કારણે મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજાનો ગણેશોત્સવ રદ્

કોરોના વાયરસ મહામારીની અસર તહેવારો પર પણ દેખાઈ રહી છે. આ વર્ષે ગણેશોત્સવમાં મુંબઈના જગવિખ્યાત લાલબાગચા રાજા દર્શન નહીં આપે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે નિર્ણય કર્યો છે કે, કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને તેઓ કોઈપણ ઉત્સવનું આયોજન નહીં કરે. લાલબાગચા રાજા મુંબઈના સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ મુલાકાત લેવાતા પંડાલો પૈકીના એક છે. લાલબાગચા રાજાના દરબારમાં આવવાથી મનોકામના પૂર્ણ થાય છે તેવી પણ આસ્થા લોકોમાં છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે આ વર્ષે ગણેશોત્સવમાં ઘણા પંડાલોએ સાદગીથી જ બાપ્પાને લાવવાનો નિર્ણય કર્યો છે તો કેટલાકે આયોજન જ રદ્દ કર્યું છે. એવામાં પ્રખ્યાત લાલબાગચા રાજાના મંડળે ગણેશોત્સવ દરમિયાન મોટું આયોજન કરવાને બદલે બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજવાનો નિર્ણય કર્યો છે. આ મંડળ હંમેશાથી મેડિકલ હેલ્થ ચેકઅપ, બ્લડ ડોનેશન કેમ્પ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે.




લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના સેક્રેટરી સુધીર સાલ્વીએ મીડિયાને જણાવ્યું, “આ વર્ષે ધામધૂમથી ગણેશોત્સવનું આયોજન કરવાને બદલે લાલબાગચા રાજા મંડળ આ રકમ સીએમ રાહત ભંડોળમાં જમા કરાવશે. ઉપરાંત LAC-LOC પર શહીદ થયેલા જવાનોના પરિવારોનું સન્માન કરશે.”


જણાવી દઈએ કે, ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શન કરવા દેશભરમાંથી ભક્તો આવે છે. બાપ્પાના દર્શન કરવા માટે તેઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. માત્ર સામાન્ય લોકો જ નહીં બોલિવુડ સેલિબ્રિટીઝ, નેતાઓ અને બિઝનેસમેન પણ લાલબાગચા રાજાની વિશાળ પ્રતિમા સામે શીશ ઝૂકાવે છે. દર વર્ષે લાલબાગચા રાજાના વિસર્જનમાં પણ વિશાળ જનમેદની ઉમટે છે. ત્યારે પહેલીવાર એવું બન્યું છે કે, ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા દર્શન નહીં આપે.


મીડિયા રિપોર્ટ અનુસાર, આ વર્ષે 3-4 ફૂટની નાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને પરંપરાગત રીતે પૂજા વિધિ થશે. જો કે, પૂજા દરમિયાન પણ ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આ વર્ષે ગણેશોત્વમાં માત્ર 4 ફૂટની મૂર્તિની સ્થાપના કરી શકાશે અને સરઘસ નહીં કાઢી શકાય.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...