સૌરાષ્ટ્રમાં સર્વત્ર મેઘમહેર, ગીર ગઢડાનો રાવલ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની રમઝટ



ગીર સોમનાથઃ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદે રમઝટ બોલાવી છે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ સહિતના વિસ્તારોમાં મેહુલિયો મન ભરીને વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ 6 ઈંચ વરસાદ પડ્યો હતો તો ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર ઈંચ તો ગીર ગઢડામાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સમગ્ર ગીર પંથકમાં ઉપરવાસમાં વરસાદના કારણે ગીર ગઢડાનો રાવલ ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


પંથકમાં 2થી લઈ 6 ઈંચ વરસાદ



રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. 24 તાલુકા એવા છે જ્યાં બેથી લઈને 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે 31 તાલુકાઓ એવા છે જ્યાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના નદી-નાળા પણ છલકાઈ રહ્યાં છે.


નીખરી ઉઠ્યું સૌંદર્ય



ગીર પંથકમાં વરસાદની સાથે જ કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. જ્યાં જુઓ ત્યાં લીલીછમ વનરાજી જોવા મળી રહી છે તો નદી-નાળા પણ છલકાઈ ઉઠ્યાં છે. નોંધનીય છે કે પહેલા જ્યારે પણ ડેમ છલકાઈ જતો ત્યારે લોકો નવા પાણી જોવા માટે એકઠાં થતાં હતાં પરંતુ કોરોના વાયરસના કારણે હવે લોકો બહાર જવાનું ટાળી રહ્યાં છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...