પોલીસ પૂછપરછના બીજા દિવસે ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજનાએ છોડ્યું મુંબઈ

મુંબઈ પોલીસે નોંધ્યું સંજનાનું નિવેદન



રેણુકા વ્યવહારે: મુંબઈ પોલીસ હાલ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. પોલીસે સુશાંતના પરિવાર, મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોની પૂછપરછ કરી છે. રવિવારે મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખેએ જણાવ્યું હતું કે, તેઓ દરેક એંગલથી કેસની તપાસ કરી રહ્યા છે. મંગળવારે સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘીને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવી હતી. પોલીસે લગભગ 7 કલાક સુધી સંજનાની પૂછપરછ કરી હતી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


પૂછપરછ પછી દિલ્હી જતી રહી સંજના



પોલીસ પૂછપરછના એક દિવસ બાદ એટલે કે બુધવારે સંજના સાંઘી દિલ્હી જવા રવાના થઈ હતી. મૂળ દિલ્હીની રહેવાસી સંજના મુંબઈ છોડીને પરિવાર પાસે પરત ફરી છે. જો કે, મુંબઈ છોડતાં પહેલા સંજનાએ ગૂઢાર્થવાળી પોસ્ટ મૂકી હતી. સંજનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની તસવીર શેર કરીને મુંબઈને અલવિદા કહ્યું હતું.


ગૂઢાર્થવાળી પોસ્ટ મૂકી


દિલ્હી જતી વખતે મૂકેલી પોસ્ટ

સંજનાએ લખ્યું, “ખુદા હાફિઝ મુંબઈ…4 મહિના પછી તમારા દર્શન થયા. હું દિલ્હી પાછી જઉં છું. તમારા રસ્તા થોડા અલગ લાગ્યા, સૂમસામ હતા, કદાચ મારા દિલમાં જે દુઃખ્યું છે તે મારો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે. અથવા કદાચ તમે પણ થોડા દુઃખી છો. મળીશું? જલદી અથવા કદાચ નહીં.”


સંજનાએ છેડછાડના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા


દિલ બેચારામાં સંજના-સુશાંત

અહેવાલો પ્રમાણે, સંજનાએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સુશાંત પર લાગેલા કથિત છેડછાડના આરોપોને ફગાવ્યા છે. 2018માં અફવા ઉડી હતી કે સુશાંત તેની ફિલ્મ કિઝ્ઝી ઔર મન્ની (‘દિલ બેચારા’નું અગાઉનું નામ)ની એક્ટ્રેસ સંજનાને ઓવર-ફ્રેન્ડલી વર્તનથી વ્યથિત કરી રહ્યો છે. એવી અફવા હતી કે સંજનાએ સુશાંત પર શારીરિક છેડતીના આરોપ લગાવ્યા છે.


ઈન્સ્ટાગ્રામ પર કરી હતી સ્પષ્ટતા


સંજનાએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટ

19 ઓક્ટોબર 2018ના રોજ અમારા સહયોગી TOIએ આ મામલે સુશાંત સાથે વાત કરી હતી ત્યારે એક્ટરે કહ્યું હતું કે, ‘મને ફસાવાઈ રહ્યો છે.’ ખોટા આરોપો લાગ્યા બાદ સુશાંતે સંજના સાથેની ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. જે બાદ 23 ઓક્ટોબર 2018ના રોજ સંજનાએ આરોપોને ખોટા ગણાવતાં ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરતી પોસ્ટ પણ મૂકી હતી. આરોપોની અફવા ઉડી ત્યારે સંજના તેની મમ્મી સાથે યુએસમાં હતી અને પરત ફર્યા પછી તેને આ વાતની જાણ થઈ હતી.


સંજનાનો સંપર્ક ના થઈ શક્યો



સંજનાએ એકાએક મુંબઈ છોડી દેતાં અમારા સહયોગીએ ‘દિલ બેચારા’ના ડિરેક્ટર મુકેશ છાબડા અને એક્ટ્રેસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સાથે વાત થઈ શકી નહોતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...