લોકડાઉન દરમિયાન આ બીમારીનો ભોગ બન્યો હતો એક્ટર પાર્થ સમથાન
ડિપ્રેશનનો શિકાર બન્યો હતો પાર્થ

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘણા ટીવી સેલેબ્સ બહાર આવ્યા હતા અને પોતાની ડિપ્રેશન સામેની લડાઈ વિશે વાત કરી હતી. હવે સીરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ના અનુરાગ એટલે કે પાર્થ સમથાને જણાવ્યું છે કે, લોકડાઉનના દિવસો કાઢવા તેના માટે સરળ નહોતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
મદદ કરનારા ફ્રેન્ડ્સનો માન્યો આભાર

એક્ટરે પોતાના કપરા સમયમાં પડખે ઊભા રહેનાર લોકોનો આભાર માન્યો છે અને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.ઈન્સ્ટાગ્રામ પર તેણે લખ્યું છે કે, ‘હું મારા તમામ પ્રિયજનો, મારા મિત્રો અને ફેન્સ સહિત તે તમામનો આભાર માનવા માગુ છું જેમણે એક સારી અને પોઝિટિવ વ્યક્તિ બનવામાં મને મદદ કરી. થેન્ક્યુ સો મચ’.
‘લોકડાઉનમાં હતાશ થઈ ગયો હતો’
View this post on Instagram
Yes there were moments of depression and sadness during this lockdown, but that’s what gives us strength to be stronger and push ourselves so that one day when this pandemic is over .. We are Ready !!! To face this world againnnn !!!! #staypostive
આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘હા, લોકડાઉન દરમિયાન હું ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને હતાશ થઈ ગયો હતો. પરંતુ આ જ બાબત આપણને શક્તિ આપે છે કે જેથી જ્યારે આ મહામારી સમાપ્ત થઈ જાય ત્યારે ફરીથી આપણે દુનિયાનો સામનો કરવા માટે તૈયાર થઈ શકીએ. #staypositive’.
હિના ખાને કરી કોમેન્ટ

એક્ટરની કો-સ્ટાર રહી ચૂકેલી અને સારી ફ્રેન્ડ એવી હિના ખાને કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘તું રોકસ્ટાર છે. સારી બાબતો પર અને તારા કામ પર ફોકસ કર’.
લોકડાઉનમાં પણ ચર્ચામાં રહ્યો પાર્થ

લોકડાઉન દરમિયાન હૈદરાબાદમાં ફ્રેન્ડ સાથે પાર્ટી કરવા પર પાર્થ ટ્રોલ થયો હતો. આ સિવાય તે ફરીથી ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે વિકાસ ગુપ્તાએ તેના પર શોષણનો આરોપ લગાવ્યો હતો. જો કે, આ અંગે એક્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.
Comments
Post a Comment