કાશ્મીરમાં આ બાળકને ભારતીય સેનાએ નહીં આંતકીઓએ માર્યો
દાવોઃ ઘણા બઘા ટ્વીટર યૂઝર્સ એક મૃત બાળકનો ફોટો સાથે દાવો કરી રહ્યા છે કાશ્મીરમાં ભારતીય સેનાએ આ બાળકને માર્યો છે.

Kashmir Solidarity Council નામના એક ટ્વીટર એકાઉન્ટમાં આ ફોટો શેર કર્યો અને સાથે લખ્યું કે, ‘હ્રદય કંપાવનારા સમાચાર. આજે ભારતીય સેનાએ આ છોકરાનો જીવ લીધો. કાશ્મીરમાં આ કોઈ સમાચાર નહીં પરંતુ ભારતીય સેના માટે જમ્મુ-કાશ્મીરમાં કોઈને કોઈ મારવું સામાન્ય બાબત બની ગઈ છે. આંતરાષ્ટ્રીય સમુદાયના મૌન પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.’


અન્ય એક ટ્વીટર યૂઝર્સે આ બાળકના અંતિમ યાત્રાનો વિડીયો શેર કર્યો અને સાથે લખ્યું, ‘ભારતીય સેનાએ કાશ્મીરમાં 4 વર્ષના બાળકને શહીદ કરી દીધો. જે દેશ પાસે પરમાણુ હથિયાર છે, તેઓ એક 4 વર્ષના બાળકથી પણ ડરે છે. અલ્લાહ તે ભારતીય સૈનિકોનો નાશ કરે જેમણે આ માસૂમ કાશ્મીરીનો જીવ લીધો છે.’
Indian Army martyred 4-year-old boy in #Kashmir.The country, which holds nuclear weapons, is also afraid of an 4-year-old child.
May Allah annihilate those Indian soldiers who are martyring innocent Kashmiri.#FreeKashmirانا للہ وانا الیہ راجعون
pic.twitter.com/Zlnd2HeZkI
— 𝓑𝓲𝓷𝓽-𝓔-𝓗𝓪𝔀𝓪 بنتِ حوا (@zTweeples) June 26, 2020
સત્ય શું છે?
જે બાળકનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે તેને આતંકીઓએ માર્યો હતો. આતંકવાદીઓએ અનંતનાગમાં CRPF પટ્રોલ પાર્ટી પર ગોળીઓ વરસાવી હતી જેમાં એક CRPF જવાન અને એક બાળકનો જીવ ગયો હતો.
કેવી રીતે તપાસ કરવામાં આવી?
રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા અમને Kashmir Press પર જૂન 2020નો છપાયેલો એક આર્ટિકલ મળ્યો, જેમાં આ ફોટોગ્રાફ હતો. આ આર્ટિકલ મુજબ CRPF જવાન અને એક બાળકના મોત માટે આતંકવાદીઓ જવાબદાર હતા.
#Terrorists fired upon CRPF party at #Bijbehara #Anantnag resulting in death of a #minor #boy and a CRPF personnel . Area cordoned off. Case registered. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) June 26, 2020
Kashmir Zone પોલીસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી પણ 26 જૂન 2020ના રોજ કરવામાં આવેલી ટ્વીટમાં આ પુષ્ટિ કરવામાં આવી હતી.

26 જૂનના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પીટીઆઈના માધ્યમથી એક રિપોર્ટ હતો જેમાં આ હુમલામાં મૃતક બાળકનું નામ નિહાન યવર દર્શાવવામાં આવ્યું હતું જે 8 વર્ષનો હતો અને કુલગાનો રહેવાસી હતો.
નિષ્કર્ષઃ
ટાઈમ્સ ફેક્સ ચેકને જાણવા મળ્યું કે કાશ્મીરમાં આતંકીઓ હુમલામાં મૃત પામેલા એક બાળકોના ફોટોગ્રાફને સોશિયલ મીડિયા પર હવે ભારતીય સેનાને નિશાનો બનાવવા માટે શેર કરવામાં આવી રહી છે.
pic.twitter.com/Zlnd2HeZkI
Comments
Post a Comment