ગેલેક્સીને પ્રેમ કરતો સુશાંત ખરેખર એક ‘તારો’ બની ગયો, ફેને આપી અનોખી શ્રદ્ધાંજલિ
ફિલ્મી સિતારો આકાશનો તારો બન્યો

સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આકાશનો એક તારો બની ગયો છે. સુશાંતની યાદોની જીવિત રાખવા અને સન્માનિત કરવા એક ગજબનો રસ્તો શોધી કાઢ્યો છે. સુશાંતના ફેને એક તારાનું નામ દિવંગત એક્ટરના નામે રજિસ્ટર કરાવ્યું છે. ધ સ્ટાર રજિસ્ટર પાસેથી તેનો કોપીરાઈટ પણ મેળવ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ફેને આપી અનોખી શ્રદ્ધાંજલિ

સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ફેને સુશાંત માટે ભાવુક વાત લખી છે. તેણે લખ્યું, “સુશાંતને હંમેશા તારાઓથી લગાવ રહ્યો છે અને મને એક તારાનું નામ તેના નામે રાખવાનું યોગ્ય લાગ્યું. સુંદર અને તલસ્પર્શી જ્ઞાન ધરાવતા વ્યક્તિનું અસ્તિત્વ હતું એ મારા માટે હંમેશા ગર્વની વાત રહેશે. આશા રાખું છું કે, સુશાંત હંમેશા વધુ ને વધુ તેજસ્વી રહેશે.”
તારાને અપાયું સુશાંતનું નામ
View this post on Instagram
Sushant Singh Rajput’s fan gives a fitting tribute to the late actor in the starry world by registering a star named after him #sushantsinghrajput #sushantsinghrajputfan #tribute #starry #starryworld #stars #bollywood #bollywoodactor #bollywoodceleb #bollywoodcelebrity #bollywoodnews #bollywoodmovie #etimes #entertainmenttimes
આ ફેને સર્ટિફિકેટની તસવીર પણ શેર કરી છે. જે મુજબ, RA 22.121 તારો 25 જૂન,2020થી સુશાંત સિંહ રાજપૂતના નામે ઓળખાશે. આ સાથે જ ફેને એક પર્સનલ નોટ પણ લખી છે. જેની એક લાઈન મુજબ, ‘તારી ખૂબસુરત આત્માને શાંતિ મળે અને તું તને ગમતા સિતારાઓની વચ્ચે એક તારો બનીને સૌથી વધુ ચળકતો રહેજે.’
સુશાંતે ચંદ્ર પર ખરીદી હતી જમીન

સુશાંતને સ્પેસ અને ગેલેક્સી પ્રત્યે ખૂબ લગાવ હતો. સુશાંતને ચંદ્ર પર જમીન ખરીદી હોવાનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા હતા. સુશાંતે ચંદ્રના દૂરના ભાગની જમીનનો એક ટુકડો ખરીદ્યો હતો. સુશાંતે કહ્યું હતું કે, તેણે ચંદ્રની ‘Mare Muscoviense’અથવા ‘Sea of Muscovy’ તરીકે ઓળખાતી બાજુ પર જમીન ખરીદી છે. સુશાંતે લેટેસ્ટ ટેક્નોલોજીનું ટેલિસ્કોપ ખરીદ્યું હતું. જેનાથી તે તારા-ગ્રહો અને અવકાશી નજારા જોતો હતો.
14 જૂને સુશાંતે જીવન ટૂંકાવ્યું હતું

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રા સ્થિત ઘરે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મુંબઈ પોલીસે આ કેસની તપાસ કરી રહી છે. સુશાંતના પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ પરથી તેના મોતમાં કોઈ ગરબડ ના હોવાનો ખુલાસો થયો છે. જો કે, ફેન્સને હત્યાની શંકા હોવાથી તેઓ CBI તપાસની માગ કરી રહ્યા છે. સુશાંતના પરિવારે તેના પટના સ્થિત બાળપણના ઘરને મેમોરિયલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન શરૂ કર્યું છે, જે સ્પોર્ટ્સ, વિજ્ઞાન અને ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવા ઈચ્છતા યંગ ટેલેન્ટને મદદ કરશે.
Comments
Post a Comment