ચીનને વધુ એક ઝટકો, હાઈવે પ્રોજેક્ટમાં ચીનની કંપનીઓને નો એન્ટ્રી

નવી દિલ્હી: ચીન સામે આર્થિક કાર્યવાહીની દિશામાં ભારત ઝડપથી વધી રહ્યું છે. પહેલા 59 ચાઈનીઝ એપ્સ પ્રતિબંધિત કરાઈ. હવે, હાઈવે પ્રોજેક્ટમાં પણ ચીનની કંપનીઓની એન્ટ્રી બંધ કરવામાં આવશે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે, ભારત હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીનની કંપનીઓની એન્ટ્રીને બંધ કરશે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


જોઈન્ટ વેન્ચરના રસ્તે પણ એન્ટ્રી પર રહેશે નજર
ગડકરીએ કહ્યું કે, જો કોઈ ચાઈનીઝ કંપની જોઈન્ટ વેન્ચરના રસ્તે પણ હાઈવે પ્રોજેક્ટ્સમાં એન્ટ્રીનો પ્રયાસ કરશે તો તેને પણ રોકવામાં આવશે. તે ઉપરાંત તેમણે કહ્યું કે, સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે, MSME સેક્ટરમાં ચાઈનીઝ ઈન્વેસ્ટર્સને એન્ટરટેઈન કરવામાં આવશે નહીં.


471 કરોડનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો હતો
ગલવાન ઘાટીની ઘટના બાદ #BoycottChina અભિયાન અંતર્ગત સૌથી પહેલા ઈન્ડિયન રેલવેએ મોટો નિર્ણય લીધો હતો. તેણે ચાઈનીઝ કંપનીને મળેલો 471 કરોડનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દીધો હતો. રેલવેએ ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન લિમિટેડને અપાયેલા એક કોન્ટ્રાક્ટને કેન્સલ કરી દીધો હતો. આ ઘટના 18 જૂનની છે. ગલવાન ઘાટીમાં 16 જૂને હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિક શહીદ થઈ ગયા હતા.


417 કિમી લાંબો રેલવે કોરિડોરનો હતો કોન્ટ્રાક્ટ
બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટને કાનપુર-દીવ દળાય ઉપાધ્યાય સેક્શન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે લગભગ 417 કિમી લાંબો કોરિડોર છે. આ પ્રોજેક્ટ 417 કરોડનો હતો. આ કોન્ટ્રાક્ટ 2016માં અપાયો હતો. ચાર વર્ષમાં કામોમાં ઝડપ ન આવવાનું કારણ જણાવતા રેલવેએ આ કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો હતો.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...