આવતી કાલથી બદલાઈ જશે ATMમાંથી પૈસા કાઢવા માટેના નિયમો

ATMના નવા નિયમો


નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે માર્ચ મહિનામાં કોરોના વાયરસને કારણે કોઈ પણ એટીએમમાંથી પૈસા ઉપાડવા પર રાહત આપી હતી. આ રાહત તેમણે 3 મહિના માટે આપી હતી, જેનો સમયગાળો 30 જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. રાહત એવી આપવામાં આવી હતી કે ગ્રાહક કોઈ પણ બેંકના એટીએમમાંથી ગમે તેટલી વખત પૈસા ઉપાડી શકતા હતા અને તેના માટે કોઈ ચાર્જ પણ નહોતો લાગતો. આજે અમે જણાવીશું કે 1 જુલાઈથી ATM સાથે જોડાયેલા નવા નિયમોમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે.


કેવા હશે આ નવા નિયમો


દરેક બેંકના ATM વિથડ્રોવલ માટે અલગ-અલગ નિયમો છે. ભારતીય સ્ટેટ બેંકની વાત કરીએ તો SBI દ્વારા મેટ્રો શહેરમાં 8 ફ્રી કેશ વિથડ્રોઅલ આપવામં આવે છે. જેમાંથી 5 ટ્રાન્જેક્શન SBI બેંકમાં જ્યારે બાકીના 3 અન્ય કોઈ બેંકના ATMમાં કરી શકાય છે. 8 ટ્રાન્જેક્શન બાદ ગ્રાહક જે કોઈ ટ્રાન્જેક્શન કરશે તેનો અલગથી ચાર્જ ચૂકવવો પડશે.


નૉન મેટ્રોના નિયમો જાણો



નૉન મેટ્રો શહેરની વાત કરવામાં આવે તો તેમાં 10 ટ્રાન્જેક્શન આપવામાં આવે છે. 5 ટ્રાન્જેક્શન SBI બેંકના ATMમાંથી જ્યારે બાકીના 5 ટ્રાન્જેક્શન અન્ય કોઈ પણ બેંકના ATMમાં કરી શકાય છે. ત્યાર પછીના દરેક ટ્રાન્જેક્શન માટે 20 રૂપિયા અલગથી ચાર્જ ચૂકવવો પડે છે. જેમાં તમે બેલેન્સ ચેક, અથવા અન્ય કોઈ ટ્રાન્જેક્શન કરશો તો તેના માટે 8 રૂપિયા અને જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.


મિનિમમ બેલેન્સ મેઈન્ટેઈન કરવું પડશે



આ નવા નિયમ મુજબ બેંકોમાં પહેલા જે નિયમ હતા તે મુજબ મિનિમમ બેલેન્સ મેઈન્ટેઈન કરવું પડશે. ત્યાર બાદ બેંક ગ્રાહકો પાસેથી પેનલ્ટી વસૂલી શકે છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...