અમદાવાદઃ જમાલપુર APMC માર્કેટ 15 જુલાઈ સુધી બંધ રાખવા આદેશ

અમદાવાદ: અમદાવાદની જમાલપુર APMC આગામી 15 જુલાઈ સુધી બંધ રાખવાનો અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે. 15 જુલાઈ સુધી વેપારીઓએ જેતલપુર માર્કેટમાં જ વેપાર કરવો પડશે. જેના કારણે શહેરમાં શાકભાજીના ભાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


રવિવારે જમાલપુર એપીએમસીના 240 વેપારીઓમાંથી માત્ર 53 વેપારીઓને દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જેથી વેપારીઓએ વિરોધ નોંધાવી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદમાં કોરોનાના કારણે જમાલપુર માર્કેટમાં રોજના 53 વેપારીઓ દુકાન ખોલી શકશે તેવો નિયમ બનાવાયો છે. આ નિયમ અંતર્ગત ત્રણ-ત્રણ દિવસના સમયગાળામાં 53 દુકાનો ખોલી શકાશે. આ નિયમને લઈને વેપારીઓમાં વિરોધ ઉઠ્યો છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનરે જમાલપુર માર્કેટ 15 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.


આ નિયમના વિરોધમાં વેપારીઓએ આજે ખેડૂતોનો માલ સ્વીકાર્યો ન હતો. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જમાલપુર માર્કેટમાં ખેડૂત રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી પોતાની શાકભાજી વેચી શકે છે, પરંતુ આજે વેપારીઓએ હડતાળ પાડી માલ ખરીદ્યો ન હતો.


અમદાવાદમાં વધતા કોરોનાના કેસોને પગલે જમાલપુર માર્કેટને જેતલપુર ખસેડાયું હતું. જોકે, રથયાત્રા બાદ ફરીથી જમાલપુર માર્કેટ શરતો સાથે શરૂ કરાયું હતું. પરંતુ ફરી પાછું માર્કેટ 15 જુલાઈ સુધી બંધ કરી દેવાયું છે. શાકભાજીનો ભાવ પહેલેથી જ વધારે છે, ત્યારે ફરી એકવખત શહેરમાં જો શાકભાજીની અછત સર્જાશે તો ભાવ ભડકે બળવાની શક્યતા ઊભી થઈ છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...