ગુજરાતમાં આજે વીજળી પડતા કુલ 7ના મૃત્યુ

અમદાવાદ: ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વીજળી પડવાથી કુલ 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જે 7 લોકોના વીજળી પડવાના કારણે મોત થયા છે તેમાં બે બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે. અહીં નોંધનીય છે કે મંગળવારે સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


જામનગરના લાલપુરના રાક્કા નામના એક ગામના ખેતરમાં વીજળી પડવાના કારણે 35 વર્ષીય મહિલા અને તેના 12 વર્ષના દીકરાનું મોત થયું છે. જ્યારે બીજી ઘટનામાં દેવભૂમિ દ્વારકાના એક ગામમાં વીજળી પડવાના કારણે બે મહિલાઓના મોત નીપજ્યા છે. જ્યારે બોટાદના બે અલગ-અલગ ગામમાં વીજળી પડવાના કારણે કુલ 3 લોકોના મોત થયા છે.


મૃતકોમાં 5 વર્ષીય બાળક, 60 વર્ષીય પુરુષ અને 17 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે. વીજળી પડવાના કારણે મૃત્યુ પામેલા આ ત્રણેયના શબને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર, ગિર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં ભારે વરસાદ પડ્યો છે.


અહીં નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશ અને બિહારના અનેક જિલ્લામાં વરસાદ આફત બનીને વરસ્યો હતો. જેમાં આકાશમાંથી વીજળીએ કહેર વરસાવતા કુલ 83 લોકોના મોત થયા હતા. તો વીજળીની ઝપેટમાં આવતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ મૃતકોમાંથી મોટાભાગના ખેતરમાં કામ કરતા હતા. જેમાં બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોને ઇજાઓ થઈ હતી. ત્યારે આજે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી જેમાં કુલ 7 લોકોના મોત નીપજ્યા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...