અમદાવાદ: ભાડુઆતની આત્મહત્યાના 6 મહિના બાદ મકાન માલિક સામે ગુનો નોંધાયો

અમદાવાદ: ભાડુઆતે આત્મહત્યા કરી લેતા બુધવારે સોલા પોલીસે ચાંદલોડિયાના એક શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. 78 વર્ષીય મહિલાએ 6 મહિના પહેલા પોતાને ફાંસો આપ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ્સ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ગોતામાં પીડિતાના ઘરેથી મળી તેણીએ લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ આત્મહત્યા માટે મકાનમાલિકને દોષી ઠેરવ્યો હતો.


પીડિતા રમા પટેલના પુત્ર જયેશ પટેલે મકાન માલિક રમેશ પંચાલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે ઘણીવાર તેની માતાને ધમકાવતો હતો જેથી તેણીએ 6 જાન્યુઆરીએ પોતાને ફાંસી લગાવી દીધી હતી. જયેશ એક ડ્રાઈવર છે અને રાણીપમાં રહે છે. તેણે જણાવ્યું હતું કે તે તેની માતા સાથે એપ્રિલ 2019માં પંચાલની માલિકીના મકાનમાં ગોતામાં રહેવા ગયો હતો.


વીજ બિલ સિવાય જયેશ દર મહિને મકાનનું 3,500 રૂપિયા ભાડું ચૂકવતો હતો. તેણે એફઆઈઆરમાં જણાવ્યું છે કે જુલાઈ 2019માં તેને ચામડીના રોગનું નિદાન થયું હતું. જેથી થોડા સમય સુધી તે કામ પર જઈ શક્યો નહોતો. આર્થિક તણાવમાં હોવાથી તેઓ નિયમિતપણે ભાડું ચૂકવી શકતા નહોતા. જેને કારણે પંચાલે જયેશ અને રમાને ધમકાવવાનું શરૂ કર્યું હતું.


પંચાલ ઘણી વાર તેમના ઘરે જતો અને રમાને ધમકી આપતો. કેટલીકવાર પંચાલે તેમનો હાથ પકડીને મારવાનો પ્રયાસ પણ કરતો હતો. ડિસેમ્બરમાં જયેશ બે મહિનાથી ભાડુ ચૂકવી શક્યો નહીં. ત્યાર પછી પંચાલ તેમને વધુને વધુ ડરાવવા લાગ્યો હતો. એકવાર તેણે ઘરમાં ઘૂસીને રમા અને જયેશને ખેંચીને બહાર કાઢવાની ધમકી આપી હતી.


રમાથી વધારે સહન ન થતા તેમને 6 જાન્યુઆરીએ પોતાને ફાંસી આપી હતી. ત્યારબાદ સોલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને રમાએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...