દાહોદમાં કોરોના વાયરસથી પહેલું મોત, 57 વર્ષીય પુરુષે લીધા અંતિમ શ્વાસ

દાહોદ: કોરોનાથી એક પણ મૃત્યુ ન થયું હોય તેવા જિલ્લામાં સામેલ દાહોદમાં આજે પ્રથમ મોત નોંધાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ દાહોદમાં ત્રણ દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલા આધેડનું વડોદરા ખાતે હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દાહોદ જિલ્લામાં કોરોનાથી પહેલું મોત નોંધાતા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ આ વ્યક્તિનું મૃત્યુ ગઈકાલે રાત્રે થયું હતું પરંતુ તેની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી હતી.


ડાયાબીટિઝની સારવાર માટે વડોદરા આવ્યા હતા
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 57 વર્ષીય પુરુષ ડાયાબીટિઝની સારવાર માટે વડોદરા ગયા હતા. સારવાર કરતા પહેલા તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ સારવાર માટે તેમને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.


દાહોદમાં કોરોનાની સ્થિતિ
મંગળવાર સાંજ સુધી નોંધાયેલા આંકડા મુજબ દાહોદમાં અત્યાર સુધી કુલ 59 કેસ નોંધાયા છે. તેમાંથી 45 દર્દીઓન હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે. વડોદરાના કેસ પર નજર કરવામાં આવે તો ત્યાં કુલ કેસનો આંકડો 2267 પર પહોંચ્યો છે. તેમાંથી 49 લોકોના મોત થયા છે જ્યારે 1580 દર્દીઓ સ્વસ્થ થઈને પરત ઘરે ગયા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...