હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે
આજથી દેશભરમાં અનલોક-2 શરૂ થઈ ગયું છે જે 31મી જુલાઈ સુધી યથાવત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-2ની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 જુલાઈ સુધી લોકડાઉન યથાવત રહેશે. આજથી રેલવેથી લઈને બેકિંગમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજથી રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરવતા 50 ટકા રિફંડ મળશે. અત્યાર સુધી તત્કાલ ટિકિટ પર કોઈ રિફંડ મળતું નહોતુ. પરંતુ રેલવે દ્વારા તત્કાલ ટિકિટ કેન્સલ કરવાના નિયમમાં ફેરફાર કરવામાં આવતા હવે યાત્રીઓને 50 ટકા રિફંડ મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ એ પણ જાણવા મળ્યું છે કે, આજથી રેલવેમાં વેઈટિંગ લિસ્ટની ટિકિટ પણ આપવામાં આવશે નહી. રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે લોકોને માત્ર કન્ફર્મ અને RAC ટિકિટ જ આપવામાં આવશે. એટલું જ નહી રેલવે વિભાગ દ્વારા આજથી વિવિધ ટ્ર્નોનો સમય પણ બદલવામાં આવ્યો છે.
બીજા ATMમાંથી પૈસા ઉપાડવા પર ચાર્જ
અનલોક-2 શરૂ થતા ઘણું બધુ બદલાઈ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આજથી બીજા ATMમાંથી પૈસા ઉપાડવા પર ફરીથી ચાર્જ ચૂકવવો પડશે. કોરોના લોકડાઉનને કારણે ATM કેશ વિડ્રોઅલ ચાર્જ અને મિનિમમ અકાઉન્ટ બેલેન્સ (AMB) મેઈન્ટેનન્સ જેવા બેંકિંગ ચાર્જ પર સરકારે 30 જૂન સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હવે અનલોક થતાં આ ચાર્જ ફરીથી વસૂલવામાં આવશે. હવે પહેલાની જેમ જ દર મહિને મેટ્રો શહેરમાં 8 અને નોન મેટ્રો શહેરમાં 10 વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે.
Comments
Post a Comment